Book Title: Parmagam sara
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 273
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] ગમસાર પ્રશ્ન:- મિથ્યાજ્ઞાનમાં નિમિત્ત કારણ શું છે? જીવ પોતે મિથ્યાજ્ઞાન કરે છે. પોતાના વાસ્તવિક જ્ઞાન વિના મિથ્યાજ્ઞાન કરે છે. તેમાં કયું કર્મ નિમિત્ત છે? સમાધાનઃ- આત્મા જ્ઞાનાનંદ છે તે ચૂકીને પરમાં લાભ માને છે, તે મોહભાવમાં મોહકર્મ નિમિત્ત છે. કર્મ મોહ કરાવતું નથી પણ જીવ પોતે મોહ કરે તો કર્મને નિમિત્ત કહેવાય છે. આમ સમ્યજ્ઞાન થતું નથી એ જ મિથ્યાજ્ઞાનનું કારણ છે. ૯૩ર. સિદ્ધસમાન આત્માનો અંશ અનુભવ થવો તે ધર્મ છે. આનંદકંદ પ્રભુની નિર્વિકારી શાંતિને ધર્મ કહે છે. દ્રવ્યલિંગી સાધુ થયો છતાં તેને ધર્મ પ્રગટતો નથી કેમકે તેનું લક્ષ અપ્રયોજનભૂત ઉપર જાય છે. મિથ્યા શ્રદ્ધાને લીધે અપ્રયોજનભૂત ઉપર તેનું લક્ષ જાય છે. ૯૩૩. મારો દ્રવ્યસ્વભાવ જ્ઞાનસ્વરૂપ છે. તેમાં દ્રવ્યના અવલંબને સમ્યક પર્યાય પ્રગટે છે. તેવી પ્રયોજનભૂત વાતને મિથ્યાષ્ટિ પકડતો નથી. મિથ્યાષ્ટિને પ્રયોજનભૂત ને અપ્રયોજનભૂત પદાર્થો બન્નેને જાણવાનો ઉઘાડ છે. પણ પ્રયોજનભૂત તત્ત્વને જાણવામાં તેનું લક્ષ જશે નહિ. તે દર્શન મોહનાં કારણે છે. ઉઘાડ તો ઉઘાડ છે. પણ ઊંધી શ્રદ્ધાના કારણે તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે. ૯૩૪. જ્ઞાનીને પ્રયોજનભૂત-અપ્રયોજનભૂત તત્ત્વ બન્નેને જાણવાનો ઉઘાડ છે. છતાં મિથ્યાત્વના અભાવને લીધે પ્રયોજનભૂતને જાણવા ઉપર તેનું લક્ષ જશે ને સુખી થશે. અજ્ઞાની કદાચિત્ વ્યવહાર ધારણા કરે પણ અંતર્મુખ દષ્ટિ કરતો નથી. તેથી અપ્રયોજનભૂત હોય તેને જ તે જાણે છે. ૯૩પ. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293