Book Title: Parmagam sara
Author(s): Kanjiswami
Publisher: Vitrag Sat Sahitya Trust Bhavnagar

View full book text
Previous | Next

Page 283
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૮] ગમસાર કોઈ કહે કે અમને પણ યાદ રહેતું નથી પણ ભાવનું ભાસન છે તેને કહે છે કે જેને ભાવનું ભાસન હોય તેને પાણીમાં વિપરીત વાત કદી આવે નહીં. તિર્યંચ વિકારનો આદર કરતો નથી અને અવિકારનો આદર કરે છે. અને એ જ હિતરૂપ છે એમ તેના જ્ઞાનમાં વર્તે છે. એમાં સાતે તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન આવી જાય છે. ઢોરમાં ઊંધા લાકડાં અહીં જેવા નાખ્યા ન હોય. જેણે ઊંધા લાકડાં નાખ્યા હોય તેણે એ બધાં કાઢવા જોઈએ. એટલે કે અહીં તો બધાં પડખાથી બરાબર વિપરીતતા કાઢે તો તત્ત્વાર્થ શ્રદ્ધાન થાય. તિર્યંચને ભલે વિશેષ જ્ઞાન ન હોય પણ સ્વભાવ, વિભાવ અને સ્વ-પરનું યથાર્થ શ્રદ્ધાન હોય છે. ૯૬૭. આ જાણનારમાંથી આનંદ અને શાંતિ આવે છે, એના શબ્દની ભલે ખબર ન હોય પણ એના ભાવનું ભાન બરાબર (સમ્યક્રદૃષ્ટિ તિર્યંચને) હોય છે. શબ્દો આવડતા હોય પણ ભાવનું ભાસન ન હોય, તેને જીવતત્ત્વની ખબર નથી તેનાથી ઉલટું ભલે નામની ખબર ન હોય પણ આત્માને સ્વપણે અને અજીવ પુદ્ગલને પરપણે શ્રદ્ધે તો તેને સમ્યગ્દર્શન થાય છે. આ રીતે સામાન્યપણે જીવ-અજીવનું શ્રદ્ધાન (સમ્યક્દષ્ટિ) તિર્યંચોને પણ હોય છે. ૯૬૮. જો તિર્યંચને પણ સાત તત્ત્વોનું ભાન ન હોય તો સમ્યગ્દર્શન ન હોય કેમ કે જો તે જીવની જાતિ ન જાણે તો સ્વ-પરને ન ઓળખે અને તેથી પરમાં રાગાદિ કર્યા વિના રહે નહિ. મન, વાણી આદિને પોતાનાં માનીને એ રાગ કર્યા વિના રહે નહિ. પરંતુ ઢોરને પણ જીવ-અજીવાદિનું શ્રદ્ધાન હોય છે. તેથી તે પરમાં રાગાદિ કરતાં નથી. દેડકા, ચકલાં કોઈ આત્મજ્ઞાન પામે છે. એને જીવતત્ત્વનું યથાર્થ ભાન હોય છે. મારો ચૈતન્યસ્વભાવ છે તે પરમાં નથી. તેથી પર તે હું નથી અને મારામાં Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293