Book Title: Padma puran
Author(s): Ravishenacharya, Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 659
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૩૮ એકસો અઢારમું પર્વ પદ્મપુરાણ આ સંસારમાં એટલાં સ્વજનો થયાં છે કે જેની સંખ્યા નથી. તે સમુદ્રની રેતીના કણોથી પણ અપાર છે અને નિશ્ચયથી જોઈએ તો આ જીવનો ન કોઈ શત્રુ છે, ન કોઈ મિત્ર છે. શત્રુ તો રાગાદિ છે અને મિત્ર જ્ઞાનાદિ છે. જેમને અનેક પ્રકારે લાડ લડાવીએ છીએ અને પોતાના માનીએ છીએ તે પણ વેર પામી અત્યંત રોષથી તેને જ હણે છે. જેણે પોતાનાં સ્તનોનું દૂધ પાયું હોય જેનાથી શરીર વૃદ્ધિ પામ્યું હોય એવી માતાને પણ જીવ હણે છે. ધિક્કાર છે આ સંસારની ચેષ્ટાને. જે પહેલાં સ્વામી હતો અને વારંવાર નમસ્કાર કરાવતો તે તેનો જ દાસ થઈ જાય છે ત્યારે તેને પગની લાતોથી મારીએ છીએ. હે પ્રભો! મોહની શક્તિ જુઓ-એને વશ થયેલો આ જીવ પોતાને જાણતો નથી, પરને પોતારૂપ જાણે છે, જેમ કોઈ હાથથી કાળો નાગ પકડે તેમ કનક અને કામિનીને ગ્રહે છે. આ લોકાકાશમાં એવું તલમાત્ર ક્ષેત્ર નથી, જ્યાં જીવે જન્મમરણ ન કર્યા હોય, અને નરકમાં એને ત્રાંબાનો ઉકાળેલો રસ પાયો અને એ એટલી વાર નરકમાં ગયો છે કે એને પાયેલા તાંબાના પ્રજ્વલિત રસનો સરવાળો કરીએ તો સમુદ્રના જળથી તે અધિક થાય, અને ભૂંડ, કૂતરા, ગધેડાના અવતાર ધરીને આ જીવે એટલા મળનો આહાર કર્યો છે કે અનંત જન્મનો સરવાળો કરતાં તે હજારો વિંધ્યાચળના રાશિથી અધિક થાય અને આ અજ્ઞાની જીવે ક્રોધના વશે બીજાનાં એટલાં શિર કાપ્યાં છે કે તેણે છરેલાં શિરને એકત્ર કરતાં તે જ્યોતિષચક્રને ઓળંગી જાય. આ જીવ નરકમાં ગયો ત્યાં અધિક દુઃખ મળ્યું અને નિગોદમાં ગયો ત્યાં અનંતકાળ જન્મમરણ કર્યા. આ વાત સાંભળ્યા પછી કોણ મિત્ર પ્રત્યે મોડું કરે? એક નિમિષમાત્ર વિષયના સુખને અર્થે કોણ અપાર દુઃખ સહન કરે ? આ જીવ મોહરૂપ પિશાચને વશ પડી સંસારવનમાં ભટકે છે. હું શ્રેણિક! વિભીષણ રામને કહે છે-હું પ્રભો ! લક્ષ્મણનું આ મૃતક શરીર છોડો એ યોગ્ય છે અને શોક કરવો યોગ્ય નથી. આ કલેવરને છાતીએ વળગાડી રાખવું યોગ્ય નથી. આ પ્રમાણે વિધાધરોના સૂર્ય વિભીષણે શ્રી રામને વિનંતી કરી. રામ મહાવિવેકી છે, તેમના દ્વારા બીજા પ્રતિબોધ પામે એમ છે, તોપણ મોહના યોગથી તેમણે લક્ષ્મણની મૂર્તિને તજી નહિ, જેમ વિનયવાન શિષ્ય ગુરુની આજ્ઞા તજે નહિ. આ પ્રમાણે શ્રી રવિણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં લક્ષ્મણનો વિયોગ, રામનો વિલાપ અને વિભીષણનું સંસાર સ્વરૂપનું વર્ણન કહેનાર એકસો સત્તરમું પર્વ પૂર્ણ થયું. * * * એકસો અઢારમું પર્વ (દેવો દ્વારા સંબોધન રામનું શોકરહિત થવું અને લક્ષ્મણના દેહનો દાહસંસ્કાર કરવો) પછી સુગ્રીવાદિક બધા રાજા શ્રી રામચંદ્રને વિનંતી કરવા લાગ્યા કે હવે વાસુદેવની ઘક્રિયા કરો. શ્રી રામને આ વચન અતિઅનિષ્ટ લાગ્યું અને ક્રોધથી કહ્યું કે તમે તમારાં માતા, Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681