Book Title: Padma puran
Author(s): Ravishenacharya, Vrajlal Girdharlal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 668
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પદ્મપુરાણ એકસો એકવીસમું પર્વ ૬૪૭ જાતનાં સ્ત્રી પુરુષોનાં વચનાલાપથી આખું નગર શબ્દરૂપ થઈ ગયું. ઉતાવળના માર્યા લોકો પોતાનાં બાળકોને સાચવી શક્યાં નહિ. માર્ગમાં લોકો દોડે છે, કોઈના ધક્કાથી કોઈ પડી જાય છે. આ પ્રમાણે લોકોના કોલાહલથી હાથી ખૂંટા ઉખાડી નાખવા લાગ્યા અને ગામમાં દોડવા લાગ્યા, તેમના કપોળમાંથી મદ ઝરવાથી માર્ગમાં જળનો પ્રવાહૂ થઈ ગયો, હાથીઓના ભયથી ઘોડા ઘાસ છોડી બંધન તોડાવી ભાગ્યા અને હણહણાટી કરવા લાગ્યા. આ પ્રમાણે હાથી-ઘોડાના ધમસાણથી લોકો વ્યાકુળ થયા. તે વખતે દાનમાં તત્પર રાજા કોલાહલ સાંભળીને મકાનની ઉપર આવીને ઊભા રહ્યા, દૂરથી મુનિનું રૂપ જોઈ મોહિત થયા. રાજાને મુનિ પ્રત્યે રાગ વિશેષ છે, પરંતુ વિવેક નથી તેથી અનેક સામંતો દોડાવ્યા અને આજ્ઞા કરી કે સ્વામી પધારે છે તેથી તમે જઈ પ્રણામ કરી ખૂબ ભક્તિથી વિનંતી કરી અહીં આહાર માટે લાવો. સામંતો પણ મૂર્ખ છે તેથી જઈને પગે પડીને કહેવા લાગ્યા હે પ્રભો ! રાજાને ઘેર ભોજન કરો, ત્યાં પવિત્ર શુદ્ધ ભોજન છે અને સામાન્ય લોકોને ઘેર આહાર રસહીન છે, આપને લેવાયોગ્ય નથી. અને તેમણે લોકોને રોકયા કે તમે આપવાનું શું જાણો? આ વચન સાંભળી, મહામુનિ પોતાને અંતરાય થયેલો જાણી નગરમાંથી પાછા ચાલ્યા ગયા ત્યારે બધા લોકો ખૂબ વ્યાકુળ બન્યા. મહાપુરુષ જિનઆજ્ઞાના પ્રતિપાલક, આચારાંગ સૂત્રપ્રમાણ જેમનું આચરણ છે, તે આહારને અર્થે નગરમાં આવી અંતરાય જાણી નગરમાંથી પાછા વનમાં ચાલ્યા ગયા, ચિતૂપના ધ્યાનથી મગ્ન કાયોત્સર્ગ ધરીને બેઠા. તે અદ્ભુત, અદ્વિતીય, સૂર્ય, મન અને નેત્રને પ્યારા લાગે તેવા રૂપવાળા નગરમાંથી આહાર લીધા વિના બહાર ગયા તેથી બધા જ ખૂબ ખેદખિન્ન થયાં. આ પ્રમાણે શ્રી રવિષેણાચાર્ય વિરચિત મહાપદ્મપુરાણ સંસ્કૃત ગ્રંથની સ્વ. પં. શ્રી દૌલતરામજીકૃત ભાષાવચનિકાના ગુજરાતી અનુવાદમાં રામમુનિનું આહારાર્થે નગરમાં આગમન અને લોકોના કોલાહુલનો અંતરાય, વનમાં પાછા ગમન કરવાનું વર્ણન કરનાર એકસો વીસમું પર્વ પૂર્ણ થયું * * * એકસો એકવીસમું પર્વ (શ્રી રામનો વનચર્યાનો અભિગ્રહ અને વનમાંજ આહારનો યોગ મળવો) ત્યારપછી મુનિઓમાં શ્રેષ્ઠ રામે પંચોપવાસના પ્રત્યાખ્યાન કર્યા અને અભિગ્રહ કર્યો કે વનમાં કોઈ શ્રાવક શુદ્ધ આહાર આપે તો લેવો, નગરમાં ન જવું. આ પ્રમાણે વનચર્યાની પ્રતિજ્ઞા કરી. એક રાજા પ્રતિનંદને કોઈ દુષ્ટ તુરંગ લઈને ભાગ્યો તે લોકોની નજરમાંથી દૂર ચાલ્યો ગયો. રાજાની પટરાણી પ્રભવા અતિ ચિંતાતુર થઈ શીઘ્રગામી અશ્વ પર બેસી રાજાની પાછળ સુભટો સાથે ચાલી. જે તુરંગ રાજાને ઉપાડી ગયો હતો તે વનના સરોવરમાં કીચડમાં ફસાઈ ગયો. એટલામાં પટરાણી ત્યાં પહોંચી ગઈ. રાજા રાણી પાસે આવ્યો. રાણી હસતાં હસતાં રાજાને Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681