Book Title: Padarth Prakash 22 Saptatika
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 154
________________ 137 અનંતા, ઉપશમના - નાંખે. આ અંતર્મુહૂર્ત અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કાળ કરતા થોડુ મોટુ હોય. બીજા સમયે ૧લા સમય કરતા અio ગુણ દલિક ઉપરની સ્થિતિમાંથી લઈ તે જ રીતે પ્રતિસમય અioગુણવૃદ્ધિએ નાંખે. એમ ગુણશ્રેણીના ચરમસમય સુધી જાણવું. પછી પછીના સમયે ગુણશ્રેણીનિક્ષેપ શેષ સમયોમાં થાય, ગુણશ્રેણીની લંબાઈ વધે નહીં. (1) ગુણસંક્રમ - પ્રતિસમય અશુભપ્રકૃતિના અસંહગુણ દલિકો પરપ્રકૃતિમાં સંક્રમાવે છે. (e) નવો સ્થિતિબંધ - અપૂર્વકરણના પહેલા સમયે પલ્યો /સં(મતાંતરે પલ્યો /અio) જૂન નવો સ્થિતિબંધ શરુ કરે. સ્થિતિબંધ - સ્થિતિઘાત સાથે શરુ થાય અને સાથે પૂરા થાય. (iii) અનિવૃત્તિકરણ - એક સાથે અહીં આવેલા જીવોના અધ્યવસાયસ્થાન સરખા હોય છે. પ્રતિસમય 1-1 અધ્યવસાયસ્થાન હોય છે. ઉત્તરોત્તર સમયે વિશુદ્ધિ અનંતગુણ હોય છે. પૂર્વોક્ત પાંય પદાર્થો અહીં પણ પ્રવર્તે છે. અનિવૃત્તિકરણનો સં૦મો ભાગ બાકી હોય ત્યારે અનંતાનુબંધીની નીચે એક આવ૦ જેટલી સ્થિતિ છોડી અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. તે નવા સ્થિતિબંધના કાળમાં કરે છે. અંતરકરણનું દલિક બધ્યમાન પરપ્રકૃતિમાં નાંખે. પ્રથમસ્થિતિનું આવલિકા પ્રમાણ દલિક વેધમાન પરપ્રકૃતિમાં સિબુકસંક્રમથી સંકમાવે. અંતરકરણ કર્યા પછીના સમયથી અનંતાનુબંધીનું બીજી સ્થિતિમાં રહેલુ દલિક ઉત્તરોત્તર સમયે અio ગુણ ઉપશમાવે. અંતર્મુહૂર્તમાં અનંતાનુબંધી સર્વથા ઉપશાંત થાય, એટલે કે સંક્રમણ-ઉદય-ઉદીરણા-નિધતિ-નિકાયના કરણોને અયોગ્ય થાય. આ અનંતાનુબંધી ઉપશમના કેટલાક આચાર્યોના મતે છે. કેટલાક આચાર્યોના મતે અનંતા, વિસંયોજના જ થાય છે, અનંતા, ઉપશમના ન થાય. તે આ પ્રમાણે

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190