Book Title: Mohanlalji Maharaj Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 1
________________ પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ સાહેબ તેઓશ્રીના સમુદાયવર્તી પૂજ્ય આચાર્ય દેવો પૂ. આ. શ્રી નિપુણુપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ચિદાનંદસૂરીશ્વરજી મહારાજ સિકા પૂર્વે સૌ પ્રથમ મુંબઈમાં પ્રવેશ કરનારા સંવેગી મુનિ અને અભૂતપૂર્વ શાસનપ્રભાવના પ્રવર્તાવનારા પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ પૂજ્યપાદ મુનિપ્રવર શ્રી મોહનલાલજી મહારાજ એક વિદ્વાન હોવા ઉપરાંત સાચા અર્થમાં કમલેગી હતા. ઉત્તર પ્રદેશમાં જન્મ્યા હોવા છતાં એમણે ગુજરાતને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ગુજરાતમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મુંબઈને એમને વિશેષ લાભ મળે. સુરત, નવસારી, પાલીતાણા, સિયાજી અને મુંબઈમાં એમણે જૂનાં જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યું તથા નવા મંદિરની સ્થાપના માટે પ્રેરણા આપી. અનેક અલભ્ય પુસ્તકો એકઠાં કરી સુરતમાં જ્ઞાનભંડારની સ્થાપના કરી. ઘણાં શુભ કાર્યોનાં પ્રેરણામૂતિ બની રહ્યા. જેનસમાજને માટે ઉપયોગી એવી ધર્મશાળા, ભેજનશાળા, ઉપાશ્રય, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ સ્થાપવામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યું. ઉત્તર પ્રદેશમાં મથુરાથી ૬૦ કિ. મી. દૂર ચાંદપુર નામના ગામમાં સં. ૧૮૮૭ (ઈ. સ. ૧૮૩૧)ના વૈશાખ સુદ ને ગુરુવારે પૂજ્યશ્રીને જન્મ થયે હતે. એમનું સંસારી નામ મોહન, પિતાનું નામ બાદરમલ અને માતાનું નામ સુંદરી હતું. તેઓશ્રી ધનાઢય બ્રાહ્મણ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6