Book Title: Loktantrano Mukhya Payo
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 1
________________ લોકતંત્રને મુખ્ય પાયો [૨૩] પ્રજાસત્તાક દિવસ ઊજવવામાં આવે છે અને પ્રજાસત્તાક તંત્રને લક્ષી દેશના દરેક ભાગમાં વિચારવાન તંત્રીઓ પોત પોતાના છાપાના ખાસ અંક પ્રસિદ્ધ કરે છે. તે વખતે પ્રજાસત્તાક કે લોકતંત્રને મુખ્ય અને સાચે પાયે છે છે, તેમ જ એ પાયે આપણું લકતંત્રમાં કેટલે અંશે છે, એ જાણવું જરૂરી છે. લેકતંત્રના બીજા અનેક આધારે છે, પણ તેમાં જે કોઈ એક મુખ્ય અને મહત્ત્વને આધાર દર્શાવે છે, તે તે સરવાળે સમષ્ટિના હિત અને કલ્યાણને જ પિતાનું હિત અને કલ્યાણ લેખી પ્રત્યેક રાષ્ટ્રધટક ઉમરલાયક અને સમજદાર વ્યક્તિએ પિતાના લાભ અને સ્વાર્થને સમષ્ટિના હિત અને કલ્યાણમાં જતા કરવા તેમ જ પિતાની શક્તિઓને સમષ્ટિના હિતમાં વાપરવી તે છે. - બુદ્ધ ને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતાં. તેમાં લેકતંત્રનું જ તત્વ હતું, પણ પ્રમાણમાં મોટા ભયે ઉપસ્થિત થતાં તે ગણતંત્ર જોઈતું સંગઠન અને બળ સાધી ન શક્યાં. એટલે ઉપસ્થિત થતા મેટા ભો નિવારવાનું કામ અમક શક્તિશાળી વ્યક્તિઓએ આગળ આવી કર્યું અને પરિ. ણામે વ્યક્તિસત્તાક રાજ્યના પાયા વિસ્તરતા ગયા. સમષ્ટિહિતની જે દૃષ્ટિ પ્રથમ મુખ્યપણે કામ કરતી તે વ્યક્તિ-રાજતંત્રમાં ગૌણ બની અને વૈયક્તિક હિત તેમ જ વૈયક્તિક ગૌરવનાં બીજે કૂલતાંફાલતાં ગયાં. આ વાત રાજતંત્રપક્ષે થઈ. બીજી બાજુ ધર્મતંત્રપક્ષે પણ પલ્લું ધીરે ધીરે બલાતું ગયું. જતિ રતિ વરાતિ ત મ એવી પ્રવૃત્તિપ્રધાન ભાવના ધર્મક્ષેત્રમાં કાંઈક ગૌણ થઈ. તેના સ્થાનમાં નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મની ભાવના ધીરે ધીરે પ્રધાન બનવા લાગી. વ્યક્તિતંત્ર-રાજ્યમાં દિવસે દિવસે સામૂહિક જવાબદારીનું તત્ત્વ પ્રજાસામાન્યમાં ઓસરતું ગયું અને નિવૃત્તિપ્રધાન આધ્યાત્મિક ધર્મના પુરસ્કર્તા સંઘ અને સંપ્રદાયના પ્રભાવને લીધે પ્રજાસામાન્યમાં નિવૃત્તિની સાચી સમજ અને તેના વિકાસને બદલે નિવૃત્તિને આભાસ કરાવનારી, પણ વસ્તુતઃ સમષ્ટિના હિતને બેજવાબદાર એવી એક પ્રકારની નિષ્કય વૃત્તિ જન્મી અને તેણે ધર્મના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3