Book Title: Laghu Trishashti Shalaka Purush Charitra
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Chotalal Mohanlal Shah

View full book text
Previous | Next

Page 10
________________ તીર્થકર ચરિત્ર, ૨ ચક્રવર્તિ ચરિત્ર અને ૩ બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ ચરિત્ર. આ ત્રણ વસ્તુઓ સમાય છે. તીર્થંકર ચરિત્ર એ સમજાવે છે કે “જેને દે, ઈદ્રો, ચક્રવર્તિ રાજાઓ અને સમગ્ર જગત પૂજે છે, તે તીર્થંકર પૂર્વભવે તમારા જેવા જ સંસારમાં રાચ્ચા માચ્ચા અને પ્રકૃતજન હતા. છતાં દિવસે દિવસે તેમણે વિકાસ સાધ્યું. વીસપદની આરાધના કરી અને “સવિ જીવ કરૂં શાસન રસી.” ની સર્વ અને ઉચ્ચ માગે દરવાની ભાવના જગાવી, સંસારના રાજ્ય અને ચક્રવતિ સુખને તજી મોક્ષનું અનુત્તર સુખ મેળવ્યું ” ચક્રવર્તિ ચરિત્ર એ સમજાવે છે કે “બારી બારણુ અને ઓસરી માટે લઢનાર, રૂપીઆ અને પૈસા માટે ધમપછાડા કરનાર તું વિચાર કે જેણે પખંડ સાધ્યા, સેળ હજાર ચ પિતાના સ્વાધિન કર્યું અને દુનીયામાં એક છત્રી રાજ્ય ચલાવ્યું છતાં તેનું તે સંસારિક સુખ દીક્ષા વિના વિલય પાયુ તે મરી તે ચક્રવત્તિઓ નરકે ગયા અને તેમણે ઈચ્છાથી સંસાર છેડી ત્યાગ્યું અને દીક્ષા અંગીકાર કરી તે કલ્યાણ મેળવ્યું.’ વાસુદેવ અને પ્રતિવાસુદેવનું ચરિત્ર વાંચકને સમજાવે છે કે “પૂર્વભવની ગાઢવૈર પરંપરા આભમા અપૂર્વ શકિત અને સંપત્તિ પામ્યાં છતાં વેર રૂપે પરિણમી અનર્થ ઉત્પન્ન કરે છે. અને મરતાં સુધી માણસને જંપ વળવા દેતી નથી. આ વૈર પરંપરાથી વાસુદેવ અને પ્રતિવાસુદેવે અને નરકે જાય છે. બળદેવ ચરિત્ર એ સમજાવે છે કે “બાંધવા બાંધવા કરતા સમગ્ર જીવન પસાર કરતા અને બાંધવના રાગમાં લડાઈ, યુદ્ધ અને ઘોર કુકર્મ કરતા બળદને જ્યારે સાચી સમજ આવે છે ત્યારે તે તેમના જીવનને વિસ્તાર પામે છે.” આ સમગ્ર “વિષષ્ટિ શલાકા પુરૂષ' એ સમજાવે છે કે “તીર્થકર ભગવતે તે જગતનું કલ્યાણ કરી મોક્ષ મેળવી જગવંદ્ય બન્યા. પણ બાકીના છે કે જેમણે સંસારમાં સુખ જોગવ્યાં. યુદ્ધો ખેલ્યાં છતાં તે અને તે તીર્થકર ભગવાનની દેશનાથી સમક્તિ મેળવી પિતાનુ મોક્ષ સ્થાને નિયત બનાવ્યું છે. તેથી શલાકા પુરૂષ કહેવાયા. અને જગવંદ્ય ન્યા. આ રેસઠ શલાકા પુરૂનું વ્યવસ્થિત ચરિત્ર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે વિ સં. ૧૧૭૦–૭૨ માં ૩૬૦૦૦ હજાર શ્લોક પ્રમાણુ મહારાજા કુમારપાળના બેધમાટે બનાવેલ છે. તે ગ્રથ અતિ અપૂર્વ અને શ્લેકબદ્ધ છે. અને તે આ ગ્રંથ ભાષાંતર સાથે પ્રસારક સભા તરફથી બહાર પડી ચૂકેલ છે. આ ચરિત્રની પહેલાંના બાવરી' પુ ”િ વિગેરે પ્રાકૃત સંદર્ભે આપણુ ભંડારમાં છે. તે સર્વ સંદર્ભો અને આગમ થાના અવકન બાદ આ ગ્રંથ રચાયેલ જણાય છે. તીર્થકર ચરિત્ર, રામાયણ, મહાભારત વિગેરે જુદા જુદા ગ્રંથે અનેક છે, પણ બીજે કઈ ત્રિષષ્ટિ શલાકા ગ્રંથ આપણે ત્યાં મળતું નથી. સેમપ્રભાચાર્ય કૃત લઘત્રિષ્ટિ અને મહામહોપાધ્યાય મેઘવિજયજી દુત લઘુ ત્રિષષ્ટિ એમ બે લઘુત્રિષષ્ટિ ગ્રથ ભંડારામાં ઉપલબ્ધ છે. છતાં આજે તે બેમાંથી એકે મુદિત થયો નથી.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 434