Book Title: Khambhatna Jinalayo
Author(s): Chandrakant Kadia
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 22
________________ ખંભાતનાં જિનાલયો અનેક સાધુ-મુનિઓ તથા આચાર્ય ભગવંતોના ચરણસ્પર્શથી આ ભૂમિ પાવન બની છે. સં. ૧૧૪૬માં મુનિ આર્યરક્ષિતે ખંભાતમાં દીક્ષા લીધી હતી. તેઓ પાછળથી અંચલગચ્છીય પરંપરાના સૌ પ્રથમ આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા હતા. છેલ્લા નવ સૈકાથી જેમનો પ્રભાવ જરાય ક્ષીણ થવા પામ્યો નથી તેવા કલિકાલ સર્વજ્ઞ આ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની દીક્ષા સં ૧૧૫૦માં ખંભાતમાં સગાળવસહિકામાં થઈ હતી. આ સમયે અહીં સો જેટલા કોટ્યાધીશો વસતા હોવાનો ઉલ્લેખ સાંપડે છે. તેમની વિદ્યાની સાધના અહીં જ શરૂ થઈ હતી. સં. ૧૧૯૨ તથા સં૰ ૧૧૯૮માં તેઓશ્રીએ ખંભાતમાં ચાતુર્માસ કર્યાના ઉલ્લેખો સાંપડે છે. સં ૧૧૯૯માં રાજા સિદ્ધરાજ પાટણમાં મરણ પામ્યો ત્યારે કુમારપાળને તે સમાચાર પરદેશમાં મળ્યા. કુમારપાળ સીધો ખંભાતમાં બિરાજમાન આ શ્રી હેમચંદ્રાચાર્યસૂરિના આશીર્વાદ લેવા આવ્યો હતો અને ત્યારબાદ તે પાટણ પહોંચ્યો હતો. ૫ આ શ્રી અભયદેવસૂરિ, આ શ્રી દેવચંદ્રસૂરિ (આ૰ શ્રી હેમચંદ્રાચાર્યના શિષ્ય) વગેરે પ્રભાવક આચાર્યોને કારણે ૧૨મા સૈકામાં ખંભાતમાં જૈન શાસનનો પ્રભાવ વધ્યો હતો. ખંભાતમાં આચાર્યપદ ગચ્છનાયકપદના ઉત્સવો ગણનાપાત્ર સંખ્યામાં થયા છે. આ શ્રી હેમચંદ્રાચાર્યને સૂરિપદ (સં૰ ૧૧૬૬), આ શ્રી સિંહપ્રભસૂરિને આચાર્યપદ (સં. ૧૩૦૯), આ શ્રી મહેન્દ્રસૂરિને ગચ્છનાયકપદ (સં૰ ૧૩૯૫), આ શ્રી જ્ઞાનસૂરિને સૂરિપદ (સં૰ ૧૪૪૧), આ શ્રી કુલમંડનસૂરિને આચાર્યપદ (સં૰ ૧૪૪૨), આ શ્રી રત્નસૂરિને આચાર્યપદ (સં. ૧૪૫૨ પછીનો સમય), આ શ્રી જયકીર્તિસૂરિને આચાર્યપદ (સં. ૧૪૬૭), આ. શ્રી ગુણનિધાનસૂરિને આચાર્યપદ-ગચ્છનાયકપદ (સં. ૧૫૮૫ અથવા સં૰ ૧૫૬૫), ભ૰ સૌભાગ્યહર્ષસૂરિને ગચ્છનાયકપદ (સં. ૧૬૬૯), શ્રી જિનસિંહસૂરિને આચાર્યપદ (સં. ૧૬૭૦), શ્રી વિજયતિલકસૂરિને ગચ્છનાયકપદ (સં. ૧૬૭૩), શ્રી અમરસાગરસૂરિને આચાર્યપદ (સં ૧૭૧૫) વગેરે ગણનાપાત્ર પદવીઓના મહોત્સવથી ખંભાતમાં જૈન શાસનનો પ્રભાવ વિજયવંતો બનતો જ રહ્યો છે. જેમ અહીં દીક્ષા મહોત્સવો, પદવીદાન મહોત્સવો, પ્રતિષ્ઠા મહોત્સવો થયા છે તેમ કેટલાક સાધુભગવંતો અહીં કાળધર્મ પામ્યા હતા. પ્રભાવક મુનિ ભગવંતોના સ્વર્ગવાસ બાદ તેમના સ્મારક કે સ્તૂપ બન્યા છે અને તત્કાલીન રાજાઓએ તે બનાવવામાં પોતાનું યોગદાન પણ આપ્યું છે. આચાર્યોના સ્વર્ગવાસની તથા આવી કેટલીક સ્મારક બનાવવાની ઉલ્લેખનીય ઘટનાઓ નીચે મુજબ છે : મંત્રી આલિગદેવના ઉપાશ્રયમાં આ શ્રી સોમતિલકસૂરિનો સ્વર્ગવાસ (સં૰ ૧૩૭૩), શ્રી જિનચંદ્રસૂરિનો સ્વર્ગવાસ (સં. ૧૪૧૫), શ્રી ધર્મસાગર ઉપાધ્યાયનો કાળધર્મ (સં. ૧૬૫૩), વિજયાણંદસૂરિનો સ્વર્ગવાસ (સં. ૧૭૧૧) વગેરે. આ પ્રકારના પ્રસંગોમાં પણ જૈન શાસનના જય જયકારના મંગલ સૂરો ગુંજતા રહ્યા છે. શ્રી વિજયસેનસૂરિ ૬૮ વર્ષનું આયુષ્ય ભોગવી સં ૧૬૭૨ના જેઠ વદ ૧૧ના દિવસે ખંભાતના અકબરપુરમાં સ્વર્ગવાસી થયા હતા. બાદશાહ જહાંગીરે તેમના સ્તૂપને માટે ૧૦ વીઘા જમીન આપી હતી અને ગામે ત્રણ દિવસ સુધી પાખી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 ... 476