Book Title: Katha Manjari Part 01
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 273
________________ ૨૬૩ એક જડ તાપસની કથા છે.” રાવલ પણ તે સાંભળીને રૂદન કરવા માંડ્યો, અને તે જ પ્રમાણે વારંવાર બોલવા લાગ્યું. લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પૂછ્યું કેઃ “અરે ગુરુજી શા માટે રૂદન કરે ?” તાપસે જે બન્યું હતું તે કહ્યું. લોકોએ પૂછયું કેઃ “તમે જીવતાં છતાં તે શી રીતે રાંડી?” તાપસ કેપ કરીને બે કેઃ “અરે દુ! આ ચેલે હમણાં જ તેના પિયરથી આવે છે, તે શું ખોટું બોલે છે? તમને ધિક્કાર છે! ધિક્કાર છે!” આ પ્રમાણે સાંભળીને લેકે આશ્ચર્ય પામ્યા; અને તેને છોડીને ચાલ્યા ગયા. ખુદ બ્રહ્યા આવીને સમજાવે તે પણ “મારા જીવતાં મારી પત્ની કેવી રીતે રાંડે? તે વાત ગુરુ કે શિષ્ય સમજે તેમ જ નહોતા. મૂર્ખ લોકો જડપણાથી તત્વને સમજતા નથી. આવા મૂર્ખ માણસેને સમજાવવાનો પ્રયત્ન કર તે નિષ્ફળ છે; તેથી તેવી માથાકૂટમાં પડવા કરતાં તેઓથી દૂર રહેવું તે વધારે સારું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276