Book Title: Karmgranth 01 and 02 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ પ્ર. ૪૪૮. : ૧૧-૧૨-૧૩ ગુણઠાણે ત્રણે પ્રકારમાંથી કેટલી પ્રકૃતિઓ બંધાય છે ? ઉ. : એક . (૧) બંધ-ઉદય ઉભય વિચ્છેદવાળી ૦ બંધાય છે. (૨) બંધ પ્રથમ ઉદય પછી વિચ્છેદવાળી ૧ બંધાય છે. (૩) ઉદય પ્રથમ બંધ પછી વિચ્છેદવાળી ૦ બંધાય છે. પ્ર. ૪૪૯. : અનાદિ મિથ્યાદ્રષ્ટિ ચરમ શરીરી જીવોને સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? કઈ કઈ ? ઉ. : એકસો આડત્રીસ. ૧૪૮માંથી આહારક ચતુષ્ક, જિનનામ, ત્રણ આયુષ્ય તથા સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય આ ૧૦ વિના ૧૩૮ થાય છે. જ્ઞાનાવરણીય-પ, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૬, આયુષ્ય-૧, નામ-૮૮, ગોત્ર-૨, અંતરાય-૫. પ્ર. ૪૫૦, : ચરમ શરીરી ક્ષાયિક સમકીત પામતાં મિશ્ર મોહનીય ક્ષયે મનુષ્યને સત્તામાં કેટલી પ્રકૃતિઓ હોય છે ? ઉ. : ચરમ શરીરી ક્ષાયિક સમકીત પામતાં મિશ્ર મોહનીય ક્ષયે મનુષ્યને સત્તામાં ૧૩૯ પ્રકૃતિઓ હોય છે. ત્રણ આયુષ્ય, અનંતા-૪ કષાય મિથ્યાત્વ, મિશ્ર મોહનીય સિવાય જાણવી. Jain Education International ૧૬૨ For Private and Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172