Book Title: Kalyan Lakshi Vichar
Author(s): Nyayavijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ કે મુ. શ્રી. ન્યાયવિજયજી કલ્યાણલક્ષી વિચાર હોય તો વૈષ્ણવપણું, બૌદ્ધપણું અને જૈનપણું એ જુદી વસ્તુઓ રહેતી નથી, એ એક જ વસ્તુ બની જાય છે. જેમ જલ, વારિ, પાણી, નીર શબ્દો એક જ વસ્તુના બોધક હોઈ જલ, વારિ, પાણી, નીર એક જ વસ્તુ છે, તેમ વૈષ્ણવ, બૌદ્ધ, જૈન * એક જ વસ્તુના બેધક હોઈ એક જ વસ્તુ છે. જગતમાં દાર્શનિક મન્ત હમેશાં જુદાં જુદાં જ રહેવાનાં, તેમ જ ક્રિયાકાંડની પ્રણાલીઓ પણ જુદી જુદી જ રહેવાની. હવે અહીં એ સમજી લેવાની જરૂર છે કે દાર્શનિક મન્તવ્ય અને ક્રિયાકાંડની જુદાઈને લીધે ધર્મમાં જુદાઈ આવી શકતી નથી. હજારો માણસમાં દાર્શનિક માન્યતાઓ અને ક્રિયાકાંડની રીતિ-પદ્ધતિઓ એકબીજાથી જુદી જુદી હોવા છતાંય જો એ બધા સત્ય-અહિંસારૂપ એક ધર્મમાં માનનાર હોય તો તેઓ એક ધર્મના ગણાવા યેગ્ય છે. એ વાત સ્પષ્ટ છે કે ધાર્મિકતાનું માપ ધર્મથી (જીવન ધર્મના નિર્મળ રંગે જેટલું રંગાયું હોય તે પરથી) થાય, દાર્શનિક પટુતાથી કે ક્રિયાકાંડના બાહ્ય આચરણ પરથી નહિ. તેમ જ એ પણ ખુલ્લું છે કે જીવનને ઉદ્ધાર એકમાત્ર ધર્મથી (અહિંસા-સત્યરૂપ ધર્મના પાલનથી) છે, કોરાં દાર્શનિક મન્તવ્યના સ્વીકરણથી કે કેરે ક્રિયાકાંડથી નહિ. આમ છતાં ભિન્ન ભિન્ન પ્રકારના દાર્શનિક વાદે પૈકી કઈ પણ વાદ કોઈ માણસની પવિત્ર ધર્મસાધનામાં સહારો આપનાર બને અને કઈ પદ્ધતિનું કિયાકાંડ એની પવિત્ર ધર્મસાધનામાં ઉલ્લાસ પૂરનાર બને તો તે માણસ માટે તે બન્ને (તે વાદ અને તે ક્રિયાકાંડ) શ્રેયસ્કર બની જાય છે. આમ, ધર્મ એ મુદ્દાની વસ્તુ છે, અને દાર્શનિક મતવાદ તથા ક્રિયાકાંડનું સૌષ્ઠવ ધર્મપાલનમાં ઉપગી અથવા સહાયક થવામાં જ રહેલું છે. જેની પવિત્ર ધર્મસાધનામાં જે તત્ત્વવાદ અને જે પ્રકારનું ક્રિયાકાંડ સહારો આપે તે તેને માટે અમૃતરૂપ. અતઃ દાર્શનિક મન્તવ્યની વિશેષતા કે ક્રિયાકાંડની ભિન્ન ભિન્ન પ્રણાલીઓ ઉપરથી ધર્મ જુદા જુદા માની લેવાની દષ્ટિ ખોટી હાઈ દૂર કરવી જોઈએ, અને અહિંસા-સત્યના સન્માર્ગમાં ધર્મ માનનારા બધા–ચાહે એ લાખો હોય કે કરોડો–એક ધર્મના છે, સાધમિક છે એમ સમજવું જોઈએ. જીવનનું કલ્યાણ શાસ્ત્રજ્ઞાનની વિશાળતા કે અધિકતા ઉપર અવલંબિત નથી, પણ તત્ત્વભૂત સમજણનો દઢ રીતે અમલ કરવામાં છે. જાડી બુદ્ધિના પણ માણસ અનીતિઅન્યાય તથા રાગ-રોષ ન કરવાની શિખામણને જીવનમાં ઉતારી ઝપાટામાં તરી ગયા છે, જ્યારે મોટા મોટા પંડિતે, શાસ્ત્રીઓ કે ફિલસૂફે તત્વદષ્ટિને સ્પર્શવામાં અસમર્થ રહી ભવસાગરમાં ડૂબેલા રહે છે. મારું તે સાચું એમ નહિ, પણ સાચું તે મારું” એમ બોલવામાં ઘણાખરા ચતુરાઈ વાપરે છે, પણ વર્તાવામાં તેઓ પક્ષમેહથી ખેંચાઈ જાય છે અને સાચું શું છે, ક્યાં છે એને વિચાર કરવાને થોભતા નથી, અને પિતાનું તે સાચું અને બીજાનું તે હું * વૈષ્ણવ, બૌદ્ધ, જૈનની જેમ અન્ય સમ્પ્રદાયાનુયાયી ધાર્મિક પણ લેવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4