Book Title: Jivan Shuddhinu Ajvalu
Author(s): Ratanben K Chhadva
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical Research Centre

View full book text
Previous | Next

Page 480
________________ ૮) વિરાડી ૯) ધ્વન્યાસી ૧૦) સાગ ૧૧) શ્રી રાગ ૧૨) મલ્હાર ૧૩) અસાઓરી-સીધુઓ ઢાલ-૨૦ ૧૪) અસાવરી ઢાલ-૨૪ ૧૫) હુસેની ઢાલ-૨૯ ૧૬) કેદારો ઢાલ-૩૪ ૧૭) દેસાગ ઢાલ-૪૨ ૧૮) મેવાડો ઢાલ-૪૫ ઢાલ-૫૪ ઢાલ-૬૧ ઢાલ-૬૪ ઢાલ-૬૫ ઢાલ-૭૯ (૪) “વત’ વિષયક અન્ય રાસાઓની યાદી મધ્યકાલીન સાહિત્યમાં વ્રત-વિષયક અન્ય કવિઓ રચિત કૃતિઓની યાદી ડૉ. જયંત કઠોરી સંપાદિત જૈન ગુર્જર કવિઓ ભાગ-૧થી૬'ના આધારે વિનયચંદ્ર, દેપાલ, હર્ષવિમલ, સમયસુંદર, વીરવિજય જેવા જાણીતા કવિઓ/શ્રાવકો એ પોતાની લેખની દ્વારા વ્રતવિચાર” જેવા વિષય ઉપર રાસા, ચોપાઈ, સઝાય, છપ્પા, પૂજા તેમ જ ટીપ (વિવરણ) જેવા મધ્યકાલીન વિવિધ કાવ્ય પ્રકારોમાં રચના કરી છે. જે સંક્ષિસમાં નીચે પ્રમાણે રજુ કરી છે. (૧) વિનયચંદ્ર (રત્નસિંહસૂરિ શિષ્ય) – બારવ્રત રાસ ૨. સં. ૧૩૩૮ ગાથા-૫૩. તેઓ આચાર્ય હતા. તેમણે સં. ૧૩૨૫માં ‘પર્યુષણા-કલ્પ સૂત્ર' પર નિરુક્ત રચેલ છે. તેમના ગુરુ રત્નસિંહસૂરિ એ તપગચ્છમાં થયેલા સૈદ્ધાત્ત્વિક શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. વિક્રમની તેરમી સદીમાં વિદ્યમાન હતા. તેમણે ટીકા સહિત ‘પુદ્ગલષદ્ગશિકા-નિગોદષáિશિકા' આદિ ગ્રંથો રચેલા છે. અંત - તેરસઈ આઠ ત્રીસી, સાવયધમ્મએસ સવિ, રયણસિંહસૂરિ સીસિ, વિનયચંદ્રસૂરિ ઉધ્વરીય પાસ જિંણદ પસાંઇ, સાનિધિ સાસણદેવિ તણઇં જે ઉપદેશ કરાઈ, તે મણવંછિય સુહ લહઈ - ૫૩ (૩૦) અજ્ઞાત - બારવ્રત ચોપાઈ ગાથા ૪૩ આદિ - વીર જિણ ચરણ જુગ ભગતિસ્યુ વંદીઇ, તાસુ મુહ પેખિ મુઝ હિઅય આણંદીઇ, ધમ્મ બિહુ ભેદિ જિણનાહિ પયડીકઉં, સુગુર યણણ મહ સવણ વસ માગઉં – ૧ અંત - સંવિભાગ પ્રતિ વરસના, જોગ છતઈ પણવીસ ઉદય હુઇ સર્વ વિરતિનુ હું વંછઉ તે દીન શ્રી જગદીસ-૪૩

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496