Book Title: Janyu Chata Ajaynyu Munindra Pujya Deepratnasagarji MS Author(s): Kumarpal Desai Publisher: Gujarat Samachar News Paper View full book textPage 3
________________ શ્વેતાંબર, દિગંબર આદિ જૈન વિદ્વાનો દ્વારા 'તત્વાર્થસૂત્ર'નું વિવેચન કે અનુવાદ કરેલ ગ્રંથોનું આ વિશાળ સંકલન છે. દીપરત્નસાગરના તત્વાર્થ સાહિત્ય વિષયક ગ્રંથોનું વિશેષ નોંધપાત્ર છે. 'તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા' (અધ્યાય-૧) અને 'તત્વથંભિગમ સૂત્ર અભિનવ ટીકા' ભા. 1 થી 10 એમ બે પુસ્તકોમાં સુત્ર, હેતુ, મૂળસૂત્ર, સંધિ સહિત સૂત્ર, સૂત્રાર્થ, અનુવૃત્તિ, અનેક સંદર્ભગ્રંથોમાંથી સંકલિત માહિતીયુક્ત અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, આગમસંદર્ભ, સૂત્રનું પદ્ય, નિષ્કર્મ જેવા વિભાગો સહિત દશાંગી વિચરણ કરવામાં આવ્યું છે. દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ અને વિષયસૂચિ જેવાં સર્વાગી અભ્યાસમાં ઉપયોગી થઇ શકે એવા સમૃદ્ધ અને શાસ્ત્રીય પરિશિષ્ટો આપવામાં આવ્યા છે. પ્રત્યેક અધ્યાયના અંતે પણ સૂત્રક્રમ આકારાદિક્રમ, શ્વેતામ્બર અને દિગમ્બર પાઠભેદ જેવાં પરિશિષ્ટો મૂકવામાં આવ્યાં છે. મુનિશ્રીના આવાં જુદા જુદા ગ્રંથો કે શાસ્ત્રોનું વિમોચન મુંબઇ, જામનગર, નીમચ, વડોદરા, અમદાવાદ, ગોંડલ, ધોરાજી, થાનગઢ વગેરે સ્થળોએ થયેલ છે. દીપરત્નસાગરજી ઈન્ટરનેટના માધ્યમથી વિશ્વના 97 દેશના 25000 કરતાં વધુ સભ્યો સાથે જોડાયેલા છે. મુનિશ્રી જાપ-ધ્યાનમાં પણ નિત્ય રત છે. રોજ ત્રિકાળ 108 નવકારનો જાપ, તે સિવાય આજ પર્યત 1.8 લાખ ઉવસગ્ગહર, 27 લાખ પદ્માવતી મંત્ર, 1 લાખ લોગસ્સસૂત્ર, 4 લાખ વિદ્યામંત્ર, 4 લાખ વર્ધમાનવિદ્યા, સવા લાખ ચિંતામણી મંત્ર વગેરે અનેકવિધ જાપ કરેલા છે. દીપરત્નસાગરજીએ પદ્માવતી, ભક્તામર, વિંશતિસ્થાનક ઉવસગ્ગહરં સંતિકર, 45 આગમ વગેરે અગિયાર મંત્રોનું સંકલન પણ કરેલ છે. આજે પણ મુનિરાજશ્રી દીપરત્નસાગરજી મ.ની જ્ઞાનસાધના અખંડરૂપે ચાલુ છે. 30 વર્ષથી જ્ઞાનસાધનાને પરિણામે પાંચ ભાષાઓમાં દસ હજારથી વધુ પૃષ્ઠોનું સાહિત્ય મળે છે. 501 પુસ્તકો તો રચી ચૂક્યા છે અને બીજાં પુસ્તકોની રચના ચાલુ છે. સૌરાષ્ટ્રના થાનગઢમાં બિરાજતાં મુનિરાજની જ્ઞાનસાધના ભવિષ્યમાં અનેક ગ્રંથરત્નો આપી જશે. ગુજરાત સમાચારમાંથી સાભાર.. 26-10-2014Page Navigation
1 2 3