Book Title: Jain Yug 1940
Author(s): Mohanlal Dipchand Chokshi
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 235
________________ તા. ૧૬-૧૨-૪o પણ એ કલ્પના અને સ્વપ્ન કદિ મૂર્ત સ્વરૂપ પામ્યાં જ નહિ, આજે તે ભાગ્યે જ એવા કોઈ સંધા છે કે જે એકત્ર મળીને પોતાના પ્રતિનિધિ મોકલી શકે તેમ હાય. વળી જે સંસ્થા તેમ જ સંધે પણ પ્રતિનિધિએ મોકલવાના આજે હકક ધરાવે છે તેના માથે કેન્ફરન્સના રાને અમલમાં મૂકવાની કશી જવાબદારી છે જ નહિ. આમ ચુટણી કરનાર બીનજવાબદાર અને ચુટાયલા પ્રતિનિધિ પણ બીનજવાબદાર. આવા પ્રતિનિધિઓની બનેલી કોન્ફરન્સ સમાજ ઉપર શું પ્રભુત્વ પાડી શકે એ વિચારણીય પ્રશ્ન છે. સધામાં આજે એટલા બધા અભેદ્ય વિચારપક્ષેા છે કે તેને કાન્ફરન્સના છત્ર નીચે સંકૃિત કરવા એ આશા આકાશકુસુમવત્ છે. આ કારણને લીધે કોન્ફરન્સનું આખું બંધારણ મૌલિક પરિવર્તનની અપેક્ષા રાખે છે અને સધના એકનના સ્થાને સ્થળે સ્થળે કોન્ફરન્સની સમિતિએના એકમ ઉભા કરવાં અને તે સમિતિની કોન્ફરન્સ બનાવવી—આવી રચના આવશ્યક છે એટલું જ નહિ પણ વ્યવહારૂ છે. જ આમ આ પ્રકારની પુનર્રચનાને જ્યારે હું વ્યવહારૂ કહું છું ત્યારે પ્રશ્ન એવી રીતના ઉપસ્થિત થાય છે કે આવી સિમતિએ સારા પ્રમાણુમાં ઉભી થવી શકય છે ખરી ? આના જવાબ નવી રચનાને અનુસરી કાર્ય કરનારા આપણી પાસે છે કે નહિં અને ન હોય તેા ઉભા કરી શકીએ તેમ છે કે નહિ એ પ્રશ્નના ઉત્તર ઉપર અવલએ છે. જો જરૂરી કાર્યકર્તાઓ હોય અથવા તો ઉભા કરી શકાય તેમ હોય તે દરેક અગત્યના ગામ કે શહેરમાં સમિતિ ઉભી કરવી એમાં મોટી મુશ્કેલી કે અશકયતા જેવુ છે જ નહિ. તેથી આ કેન્દ્ રન્સ સામે ખરી રીતે એ પ્રશ્નો આવીને ઉભા રહે છે. મૃતપ્રાય નેત્રી અને અવાતિવક બંધારણ રચનામાં ચાયની ઉત્ક્રમને આજની પરિસ્થિતિને અનુરૂપ નવું બંધારણ આપવુ અને એ બંધારણમાં રહેલી યોજનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે યોગ્ય કાર્યકરો મેળવવા. આ બે પ્રશ્નના યોગ્ય નિકાલ ઉપર જ આખી કોન્ફરન્સના અસ્તિત્વના અને ભાવી આયુષ્યના આધાર રહેલો છે. આ વખતે વળી પ્રકાર અને બેકારી વિષ્ણુભેજ પ્રશ્નો ચર્ચવા-આવી મર્યાદા નીચે પ્રસ્તુત અધિવેશન ભરવામાં આવે છે. કેળવણી પ્રચારની દિશાએ તા કોન્ફરન્સની કેળવણી પ્રચારની એક યેાજના આ અમલમાં આવી રહી છે. તેને કેમ વધારવી અને વિસ્તારવી એ એક અગત્યના પ્રશ્ન વિચારવાને રહેશે. આ ઉપરાંત જૈન સમાજ હસ્તક ચાલતી શિક્ષણ સંસ્થાઓ, છાત્રાલયો વગેરેન લગતી માહીતીનો સંગ્રહ કરવાને ધરાવ કરવામાં આવે તેમજ ભિન્નભિન્ન સંસ્થાઓનું એકીકરણ કરવાની કોઇ યોજના વિચારવામાં આવે તે તે પણ જરૂર ઉપયોગી થાય. બેકારી સબંધે પણ જેને હસ્તક ચાલતી અનેક સંસ્થાઓ, પેઢીઓ, એક્ીસા તેમજ કારખાનાઓમાં જનાને સારા પ્રમાણમાં કઇ રીતે ગોઠવી શકાય તે દિશાએ કાવ્યવહારૂ યોજના વિચારી શકાય તે તે જરૂર લાભપ્રદ અને. આ હતની વિષયમર્યાદા પાછળ કોઇ મતભેદવાળા કે તકરી પ્રશ્નો આ અધિવેશનમાં ન લાવવા એવા હેતુ રહેલા છે. આવી વિષયભર્યાદા આ અધિવેશન પૂરતી યોગ્ય છે. કારણકે એ સિવાય લાંબા સમયથી ખેારણે પડેલું અધિવેશન કાર્ય પાર પાડવાનું અને તે તરફ સંખ્યાબંધ ભાઇ બહેનને આકર્ષંવાનું હાલના સંયાગામાં શકય નહેતુ. પણ આ વિષયમર્યાદા પાછળ અમુક વર્ગની એક પ્રકારની ભીરૂતા પણ છુપાયલી છે. આવી રન્સમાં તકરારી કે મતભેદવાળા વિષયે કે પ્રશ્નો લાવવા જ નહિ કે જેથી પક્ષા . પક્ષી થાય. આવી તકરાર કે મતભેદની ભડક સામાન્ય જનતાના પ્રતિનિધિત્વવાળી સંસ્થાને શોભે જ નહિ, જૈન સમાજને સ્પર્શતા સર્વે કાઇ પ્રશ્નોની ખુલ્લા દિલની ચર્ચા અને નિર્ણયને આ સંસ્થાની કાર્યવાહીમાં સંપૂર્ણ અવકાશ હાવા જ જોઇએ. રૂપનો તો કમ કુકીને પીએ તેમ સામજિક ચળું કે ખળભળાટથી આધેલા માણસે મતભેદ અને વિચારભેદથી ભડકીને ભાગે છે. આવી ભડક પ્રગતિની મેટામાં મોટી શત્રુ છે. વિચારની લડાતો અને પ્રચલિત કવિની સ્વતંત્ર ભા લોચના સિવાય પ્રગતિની શક્યતા છે જ નહિ. આજની વિષયમર્યાદાને કાયમી કરવામાં આવશે તો કેન્કરન્સ કેવળ પ્રત્યાઘાતી સંસ્થા બની જશે એ અધિવેશનમાં ભાગ લેનારા પ્રતિનિધિ ન ભુલે. ૫ એક એવા વિચાર પ્રચલિત થઇ રહ્યો છે કે આજ સુધી કાન્ફરન્સ કેવળ વિચાર પ્રચારક સંસ્થા હતી. હવે કન્ફરન્સને અમલી કાર્ય કરનારી સંસ્થા બનાવવી જોઇએ. આ એકાન્ત વિચાર યોગ્ય નથી. કાન્ફરન્સની પ્રવૃત્તિ દ્વિમુખી હાવી જોઇએ, કેવા વિચારપ્રચારની પ્રવૃત્તિ કોન્ફરન્સને શબ્દોની સાડમારીનું સ્થાનક બનાવી દેશે. મતભેદના પ્રશ્નોથી દૂર રહીને કેવળ અમલી કાર્ય કરવાની વૃત્તિ કન્દરઅને જડ, સ્થિતિયુમ્ન અને પ્રથી ભગાડી દેશે. સમાજના અને દેશના સમયે સમયે ઉપસ્થિત થતા પ્રશ્નો સંબંધે પોતપોતાના સમાજવર્તુળને સાચી દોરવણી આપવી અને સાથે સાથે કામની સક્રિય પ્રવૃત્તિ વડે બને તેટલી સેવા કરવી-આ બન્ને બાબતો કેન્ફ્રન્સે સંભાળવાની રહે છે. આવાં કોમી સ ંમેલનો અને પ્રવૃત્તિઓ રાષ્ટ્રહિતને વિસારી દર્શને અથવા તે તેને નુકસાન પહોંચે એ રીતે કામના કલ્યાણના નામે ચલાવવાની વૃત્તિ વેગ કરી બેસે એવુ આ પ્રકારની પ્રવૃત્તિએમાં ભારે જોખમ રહેલું છે. દરેક કોમને કેટલાક અંગત પ્રશ્નો હાય જ છે અને તેના ઉકેલ માટે આવાં કામી સમેલનેાની ચોકકસ ઉપયોગીતા છે. પણ એ પ્રશ્નો બાદ કરતાં રાષ્ટ્રીય ભાવનાની દૃષ્ટિએ—સ્વરાજ સાધનાની દૃષ્ટિએ આજે આપણા અંગત તેમ જ સામાજિક જીવનમાં જે મહત્વના ફેરફારો કરવાની ખાસ જરૂર ઉભી થઇ છે તે ફેરફારો પોતપોતાના વર્તુલમાં કેવી રીતે નિપજાવવા એ ધ્યેય ઉપર જ અચુક ધ્યાન રાખીને આવાં કોમી સમેલને ચલાવવાં સ્નેએ અને તે જ આવાં કૈાની સંમેલના રાષ્ટ્રકલ્યાણુના સાચા પૂરક બની શકે. આ ઉપર જણાવેલુ જોખમ અને અન્તિમ ધ્યેયને કામી સમેલનના કાર્યકર્તાઓએ હરપળે ધ્યાન ઉપર રાખવા કરે છે. જે કેમી સંસ્થા આ બાબતની ઉપેક્ષા કરશે તે સંસ્થા પરિણામે દેશની ભારે દ્રોહી બનવાની જ છે. આજની મેસ્લેમ લીગ આ કથનને મોટામાં મોટા પુરાવા છે. જૈન સમાજના એક વિભાગની કોન્ફરન્સના અધિવેશનની આટલી લાંબી સમાલોચના શા માટે એમ જરૂર કેઇને પ્રશ્ન થશે; પણ જે આજની વસ્તુસ્થિતિ વિચારશે તેને લાગ્યા વિના નહિ રહે કે આપણું જીવન હજુ અનેક પ્રકારની વિભાગી પ્રવૃતિ સાથે સકળાય છે. વળી વિશાળ દૃષ્ટિવાળા કાર્યકર્તાઓ આવી વિભાગી અને કામી પ્રવૃત્તિઓમાંથી પણ સાર્વજનિક ઉત્કર્ષને પાવક અનેક દૃષ્ટ પરિણામે નિપજાવી શકે તેમ છે. આવા ખ્યાલથી આટલું લાંબું વિવરણ કરવુ યોગ્ય ધાર્યું છે, નિંગાળા ખાતે ભરાતું સમેલન આજ સુધીમાં ભરાયેલાં કૈમી અને સાંપ્રદાયિક સંમેલનાથી જુદી ભાત પાડે અને પ્રસુપ્ત જૈન સમાજને ાગૃત કરે તથા સાચી દોરવણી આપે એવી આપણે સૌ શુભેચ્છા અને આશા ચિન્હવીએ. પરમાનંદ • પ્રબુદ્ધ જૈન માંથી સાભાર ઉધ્ધત

Loading...

Page Navigation
1 ... 233 234 235 236