________________ જૈન ધર્મના પ્રાણ બળાને જીત. આ આધ્યાત્મિક જય માટે પ્રયત્ન એ જ મુખ્ય જેને અહિંસા છે. આને સંયમ કહે, તપ કહે, ધ્યાન કહે કે કઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપે, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે. અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર પૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાકરૂપે અવતરેલે જીવનેકર્ષક આચાર છે. ઉપર વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણું બાહ્યાચાર જ હેય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કઈ આચાર નિર્માયે હોય તે તેને જેન તત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જે ઉપરનું અહિંસાનું આંતરિક તત્વ સંબંધ ન ધરાવતું હોય તે તે આચાર અને તે વ્યવહાર જૈન દષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પિષક છે એમ ન કહી શકાય. અહીં જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જૈન વિચારસરણનો ઇશારે કર્યો છે. આચારની બાબતમાં પણ કઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારના મૂળ તની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આઢવ, સંવર આદિ તો કહેવામાં આવે છે. [ અચિં- ભા. , પૃ૧૦ 49-1061] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org