Book Title: Jain Satyaprakash 1939 05 SrNo 46 47
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 31
________________ અ*ફ ૧૦-૧૧ } સાચા હીર | ૫૫૩ } હતાં. ત્યાં દૃથી સાધુને આવતા રાણીએ જોયા. એણે સાંભળ્યું હતું કે ભાઇએ રાજપાટ અને માબાપને છેડી સાધુપણું લીધું છે. રખેને આ એ તે ન હેાય, એમ સમજી, નીહાળી નીહાળીને સાધુજી સામે જોવા લાગી. યુવાન રાન્ન આ જોઇ ચમકયા. મારી પ્રેમગાડીના આનંદને છેડી આ સામે આવતી વ્યક્તિ સામે આટલું બધું ટીકીટીકીને જોવાનું કારણ શું? જો કે સાધુને તે આ પ્રસંગની ખબર પણ ન્હોતી. એ તે સમિતિનું પાલન કરતાં મંદ ગતિએ ચાલ્યા જતા હતા. મધ્યાહ્ન થવા આવ્યું હતું. ઉપર માથું અને નીચે પગ તપતા હતા. પરસેવેથી શરીર રેબઝેબ થઈ ગયું હતું. રાણીને લાગ્યું ચેસ એ જ મારે ભાઈ ! મેં તે જાણ્યું. જીંદગીમાં મારા વીરા મતે નહિ મળે, પણ અજે એનાં દર્શન થયાં ખરાં ! એમ રાણી મનમાં ખેલી ઉઠી, રાજાને રાણીની આ ચેષ્ટા ન ગમી. એ ધીમેથી હટી ગયે. રાણી તે! હજી ભાષને જ જોઈ રહી છે. એ કયાં જાય છે? મારા રાજમહેલે મને મળવા આવે છે? રાજાને લાગ્યું કે આ તો કાઈક રાણીને પ્રીતિપાત્ર લાગે છે. પીયરના કોઈક પ્રેમી હશે! એ પાપીનું તે! કાટલું જ કાઢી નાંખવું જોઇએ ! બિચારા રાજાની મતિ બગડી, એ ભરમાયો. તે વિષયનું પૂતળુ હતા એટલે એ પરમ ત્યાગી સાધુને પણ ન ઓળખી શકયા. વિષયી માણસ જગતને પેાતાના ત્રાજવે જોખે છે. એણે એક કરને ખાનગીમાં હુમ કર્યુંઃ જો પેલે ઢોંગી સાધુ ચાલ્યે! જાય છે, એ મહાન દંભી અને કપટનું પૂતળુ છે. જા, દેડ, અને એના શરીરની ચામડી ઉખાડી લાવ ! (૪) તાકર દડયે સાધુજીની પાછળ ! ઘણે દૂર ગયા પછી નાકરે હીતે મ્હીંતે સાધુજીને પોતાના રાજાને હુકમ સભળાવ્યા. નાકરને એમ તેા લાગ્યું કે આ સવરમાં રાજાએ કહ્યા તેવા અવગુણને વાસ કદી સ ંભવતા નથી. પણ એને ખબર હતી કે તે હું ધ્યાળુ થઈશ તા રાજા મારી ચામડી ઉખેડાવશે. રાજાના ક્રોધની એને બરાબર પિછાન હતી. રાજાજ્ઞાના ઉલ્લંધનનું પરિણામ અને કંપાવતું હતું. નાકરના હુકમ સાધુજીએ સાંભળ્યે, સાંભળીને તેમને આનંદ યા. વાહ, વીરતા દેખાડવાને ખરે સમય આવ્યે છે ! ક્ષત્રિય પુત્ર ધરને ખૂણે ન મરે ! એ તે વીરતાથી મરે ! એણે ખૂબ વૈરાગ્યભાવના ભાવી ! સુકૃત સંભાર્યાં, દુષ્કૃતની નિદા કરી, પછી એ મેલ્યા‘‘ભાઈ, આ ચામડી બહુ કઠણ છે એ ઉતરડતાં તમને ધણું કષ્ટ થશે. આ ચામડીમાં નથી માંસ કે નથી àાહી. એકલાં હાડકાં, નસા અને આંતરડાં છે. તમને તે કાઢતાં દુઃખ થશે.” સેવક તા આ સાંબળી સ્તબ્ધ જ થઈ ગયેા. તેણે રાજ હુકમ બજાવ્યો. સાધુ તે શાંતિના સાગરમાં લીન થયા હતા. એમની વીરતા અને ધીરતા બતાવવાના આજના દિવસ પરમ ઉત્કૃષ્ટ હતા. દીક્ષા લેતાં પહેલાં માતપિતાન કહેલાં વચને સભાયાં. આજે એવું અપૂર્વ વીય ફેારવું કે ક્રીથી મારે જન્મ ન લેવા પડે-મારે જન્મ મરણના ફેરા સદ્દા માટે ટળી જાય. રાજસેવક ચાચાચા ચામડી ઉતારતા હતા તેમ તેમ એ સાધુજી સમતોના રસમાં મગ્ન થતા હતા. છેવટે એ શુકલ ધ્વાનની શ્રેણીએ ચઢયા. બધી ચામડી ઉતરડી જાય Jain Educed પહેલાં જ તેમણે વીરતાથી કાપી નાંખ્યાં, એટલે એમને પરમજ્યેાતિ ગઢી For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44