Book Title: Jain Satyaprakash 1938 08 SrNo 37 38
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 224
________________ અંક ૧-૨]. ધમવીર ચેટકરાજ [ ૨૧૫] ગુરુની પ્રશંસા સાંભળીને ચેટકરાજ પાસે તેનું પિતાના માટે શું કર્યું. આ વખત દરમિઆન મહારાજા શ્રેણિકને હજી પરમાતમાં મહાવીર-દેવને ધર્મોપદેશ મ નહતું. એટલે તે હજુ આહપાસક થયા ન હતા અને મહારાજા ચેટક આ વાત જાણતા હતા એટલે પેતાની પ્રતિજ્ઞા પ્રમાણે તે પિતાની પુત્રીને તેમને શી રીતે આપી શકે? મહારાજા શ્રેણિક એક સમ્રાટ હતા અને એની સત્તા અને મહત્તાને કોઈ પાર નહોતો. આવા એક બળવાન રાજવીની માગણીને ઇન્કાર કરવામાં કેટલું જોખમ સમાયું હતું તે ચેટકરાજ બરાબર જાણતા હતા. પણ પિતાની પ્રતિજ્ઞા આગળ તેમને બીજા વિચાર કરવાના ન હતા. તેમણે પોતાના કુળની ઉચ્ચતાના બહાને મહારાજા શ્રેણિકની માગણીને ઇન્કાર કરતાં જણાવ્યું કે “ વિવાહ સંબધ તો સમાન કુળની વચ્ચે જ શોભે " - શ્રેણિક રાજા આ ઉત્તર સાંભળવા તૈયાર ન હ. તેના ગુસ્સાએ મર્યાદા મૂકી. અને ચેટકરાજ ઉપર આફતનાં વાદળે ઘેરવા માંડયાં. છતાં ચેટકરાજા ડગે એમ ન હતું. છેવટે અભયકુમારની બુદ્ધિથી, બળના બદલે કળને ઉપગ કરીને સુદ્ધાને મેળવવી એ નિર્ણય છે. કેટલાક પ્રયત્નના અંતે સુક્કાના મનમાં શ્રેણિકને વરવાની વૃત્તિ જાગૃત થઇ. પણ સુક્કાની પિતાની ઢીલના કારણે ભગધરાજ સુજ્યેષ્ઠાને બદલે ચિલ્લણને લઈને રવાના થયા અને તે મગધની સામ્રાજ્ઞી બની બેઠી. પિતાની પુત્રી પરધર્મીને પરણે એ ચેટકરાજને મન મેત સમું હતું એટલે તેણે ચિલ્લણાના આ પગલાને અગ્ય ગમ્યું અને મહારાજા શ્રેણિક સાથે તેને સંબંધ વધુ કડવો બન્યા. પણ ચિલ્લણા પોતાના પિતાના મનને બરાબર જાણતી હતી. તેને ખબર હતી કે ચેટકરાજને શ્રેણિકપલે વ્યક્તિગત અણુગમ નથી પણ તેના પરધમપણા પ્રત્યે અણગમો છે. વળી તે પોતે પણ જૈનધર્મના સંસ્કારોને તજવા તૈયાર ન હતી. છેવટે ચિલ્લણાના પ્રયત્નથી અને બીજા અનેક સંયોગોને લીધે મગધરાજ શ્રેણિક અહપાસક બન્યા એટલે ચેટકરાજને કે ઓસરી ગયો. તે એક ઘને દુશ્મન હતું એટલે દુશ્મનાવટનું કારણ દર થતાં તેને મિત્ર બનતાં વાર નહોતી લાગતી ! તેને ભગધરાજ પ્રત્યે અણગમે તે રહ્યો અને બન્ને-સસરા જમાઈ-વચ્ચે સમાનધર્મી પણાની લાગણીએ સ્નેહના અંકુર ઉભા કર્યા. પિતે મનથી માનેલ પતિને ન મેળવી શકી એટલે સુષ્માએ બીજા પુરૂષને પરણવાનું માંડી વાળ્યું અને પોતાના પિતા તરફથી મળેલા ધર્મસંસ્કારના બળે સંસારનો ત્યાગ કરી આમસાધનાને માર્ગ લીધે. વખત જતાં મહારાણું ચિલણને ત્રણ પુત્રો થયા : કેણિક, હકલ અને વિહલ. કેણિકની અગ્ય પ્રવૃત્તિઓથી કંટાળીને તેમજ તેના કાવાદાવા બંધ થાય તે માટે શ્રેણિકે પિતાની હયાતીમાં જ મગધની ગાદીને ત્યાગ કરીને કેણિકને મગધરાજ બનાવ્યું અને હલ અને વિહલ્લમાંના પ્રથમને વિવિલય અને બીજાને સેચનક હાથી આપ્યો. કાણિક તુચ્છ સ્વભાવને હતે. પિતાને સમગ્ર મગધનું રાજ્ય મળ્યા છતાં હલત અને વિહલને પિતાના પિતાએ વીરવલય અને સેચનક હાથી આપ્યા તે એને ન ગમ્યું, તે ગમે તે રીતે એ બેય વસ્તુઓ લઈ લેવા માગતા હતા, પણ જ્યાં સુધી મહારાજા શ્રેણિક જીવતા હોય ત્યાં સુધી તેમ કરવામાં તેને ડહાપણું ન લાગ્યું. પણ કાળાંતરે મહારાજા શ્રેનુિં ભરણ થતાં જ ખોટાં બહાનાં ઉભાં કરીને તેણે હલ્લા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226