Book Title: Jain Satyaprakash 1937 02 SrNo 19
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંડિત શ્રી સુખલાલજીકૃત અનુવાદ અને વિવેચનયુક્ત તત્ત્વાર્થસૂત્રની પ્રસ્તાવના–(પરિચય) [એક વિચારણા ] લેખક–મુનિરાજ શ્રી જ્ઞાનવિજ્યજી ના ચકવર્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજનું તત્વાર્થસૂત્ર અવિભક્ત જૈન સમાજને માન્ય છે, ના. એટલે તેની પર અનેક ભાષ્ય, ટીકાઓ અને ભાષાંતરે યોજાયાં છે. ગુજરાતી ભાષામાં સૌથી મોટું ભાષાંતર પંડિત શ્રી સુખલાલજીએ કરેલ છે. ઉપલબ્ધ ભાષાંતરે માં આ ભાષાંતર મોટું છે તેમ જ ઘણું જરૂરી માહીતીથી ભરેલું છે. પંડિતજીએ તેની પ્રસ્તાવના (કે જેનું નામ પંડિતજીએ “પરિચય” રાખેલ છે તે) માં પોતાના લાંબા અનુભવનો નિચોડ આપ્યો છે. આ પરિચયથી વાચકને ઉમાસ્વત મહારાજના જીવનને લગભગ સંપૂર્ણ ખ્યાલ આવી જાય છે, એટલે તત્વાર્થસૂત્રની પ્રસ્તાવનામાં પણ આ પ્રસ્તાવના ચડિયાતી મનાય, એ સ્વાભાવિક છે. પંડિતજીએ પ્રસ્તાવનામાં ઘણું બાબતનું વિશદીકરણ કર્યું છે છતાં કેટલીક બાબતમાં તે જરૂર તેઓએ વિવાદગ્રસ્ત લેખન કર્યું છે. તે સબંધીની વિચારણા માટે આ લેખ લખવામાં આવ્યો છે. પંડિતજી પ્રસ્તાવનાના પૃષ્ઠ પ-૬ માં વાચકને પરિચય આપે છે કે “જેમના દીક્ષાગુરુ અગિયાર અંગના ધારક ઘોષનંદી ક્ષમણ હતા, અને ગુરુના ગુરુ વાચક મુખ્ય શિવશ્રી હતા, વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દૃષ્ટિએ જેમના મૂલ નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહા વાચક મુંડ પાદ ક્ષમણ હતા. જેઓ ગેત્રે કૌભાષણિ હતા. જેઓ સ્વાતિ પિતા અને વાસી માતાના પુત્ર હતા. જેમને જન્મ ન્યાયિકામાં થયો હતે. જેઓ ઉચ્ચનાગર શાખાના હતા. તે ઉમાસ્વાતિ વાચકે ગુરુપરંપરાથી પ્રાપ્ત થએલ શ્રેષ્ઠ આહત ઉપદેશને બરાબર ધારણ કરીને તેમ જ તુ શાસ્ત્રો વડે હણાએલ અદ્ધિવાલા અને દુખત લેકોને જોઇને, પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ આ સ્પષ્ટતાવાળું તત્વાથધમમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં કુસુમપુર – પાટલીપુત્ર નામના મહાનગરમાં રચ્યું. જે આ તસ્વાર્થ શાસ્ત્રને જાણશે અને તેમાં કહેલું આચરશે તે મેક્ષ નામક પરમાર્થને જદી મેળવશે.” વાચકવર્ય ઉમાસ્વાતિજીએ તત્વાર્થભાષ્યની કારિકામાં જે પિતાને પરિચય આપ્યો ર તેને અક્ષરશઃ અનુવાદ પંડિતજીએ ઉપર પ્રમાણે ઉલ્લેખ્યો છે. - આ પરિચયમાં વો૦ ઉમાસ્વાતિજીએ પિતાના ગુરુવર્ગને “વાચક” તથા "એકાદશાંગધારી ” એમ બે વિશેષથી સંબો છે. જેમાં પૂર્વધારીને વાચક તરીકે ઓળખાવ્યા છે, જયારે પિતાના ગુરુજીને અગિયાર અંગના જ્ઞાતા તરીકે સાફ વર્ણવ્યા છે. આથી તે સમયે પૂર્વધારી આચાર્ય માટે જ “વાચક” શબ્દ વપરાતો હશે એ વસ્તુ સ્પષ્ટ છે. એ પણ વિચારણીય સમસ્યા છે કે જે ઉમાસ્વાતિજી મહારાજના ગુરજી વાચકપૂર્વવેદી-હેત, તે તેઓને (ઉમસ્વિાતિજીને બીજા વાચક પાસે વાચના લેવી ન પડત, હાં, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44