Book Title: Jain Sahityano Sankshipta Itihas
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 15
________________ ૧૪ જોઇતી પ્રત મેળવી આપનાર, સાહિત્યસેવીઓને અનેકવિધ સહાય દેનાર તેમના જેવા સરલસ્વભાવી સજ્જન હાલ સાંપડે તેમ નથી. તેમના આત્માને શાંતિ મળો ! ૨૧. ભંડારો-સૂચીપત્રો-જૈન ભંડારો અને તેની ઉપયોગિતા સંબંધી આ ગ્રંથમાં પારા ૧૧૧૧૫માં લખાયું છે છતાં તેના સંબંધમાં જેટલું કહીએ તેટલું ઓછું છે. શ્વેતાંબર જૈનોએ-જૈન સાધુઓએ ગુજરાતને સાહિત્યથી સમૃદ્ધ કરવામાં-શોભાવવામાં મોટો ફાળો આપ્યો છે, અને દરેક ગામ અને શહેરમાં રહેતા ઉપાશ્રયોમાં ગ્રંથભંડારો રાખી સાહિત્યને સાચવી રાખ્યું છે. તે દરેક ભંડારની ટીપ મેળવી કોઇપણ પુસ્તક-કૃતિની પ્રત કયાં મળે છે તેની નોંધ લેવા ઉપરાંત હાલમાં જે જે પ્રસિદ્ધ ભંડારો છે તેનો સમગ્ર જનતા સહેલાઇથી-વિશેષ મુશ્કેલી વગર લાભ લઇ શકે, તે માટે તેમને સાર્વજનિક ભંડારો કરાવવા પ્રયાસ સેવવાનો છે અને જે જે પ્રસિદ્ધ ભંડાર છે તેની શોધખોળ કરી બહાર લાવવાની જરૂર છે. ૨૨. રાય બહાદુર હીરાલાલે ૧૭-૧૨-૩૧ દિને પટણામાં ‘ઑલ-ઇંડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સ'ના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાંથી ભંડારોની શોધખોળની જરૂર સંબંધે ફકરો નોંધવા જેવો છે: A thorough exploration of Bhandaras, which the foresight and excellent arrangements of the Jainas have so carefully preserved, has yet to be made. Regarding Pattan Jaina Bhandaras Professor Peterson said: 'I know of no town in India and only a few in the world, which can boast of so great a store of documents of such venerable antiquity. They would be the pride and jealously guarded treasure of any University Library in Europe.' There are 13,000 manuscripts in Pattan, a descriptive and annotated catalogue of which is in course of preparation. -જે ભંડા૨ો જૈનોની દીર્ઘદૃષ્ટિ અને તેમના ઉત્કૃષ્ટ પ્રબંધથી સંભાળપૂર્વક સંરક્ષિત રહ્યા છે. તેની સંપૂર્ણ શોધખોળ હા કરવાની રહે છે. પાટણના જૈન ભંડારો સંબંધી પ્રોફેસર પીટર્સને કહ્યું હતુંઃ- ‘પાટણ જેવું ભારતમાં એક પણ શહેર મેં જોયું નથી. તેમજ તેના જેવાં આખા જગમાં માત્ર જાજ શહેરો છે કે જે આટલી બધી ભવ્ય પ્રાચીનતાવાળી હસ્તલિખિત પ્રતોનો સંગ્રહ ધરાવવાનું અભિમાન ધરાવી શકે. આ પ્રતો તો યુરોપની કોઈ પણ યુનિવર્સિટી (વિદ્યાપીઠ)ના પુસ્તકાલયનો મગરૂરી લેવા લાયક અને અદેખાઈ આવે એવી રીતે સંગ્રહી સાચવી રાખેલો ખજાનો થઇ શકે તેમ છે.' પાટણમાં તેર હજાર હસ્તલિખિત પ્રતો છે કે જેનું વર્ણનાત્મક અને ટીકાવાળું સૂચીપત્ર તૈયાર થાય છે. ૨૩. આ સૂચીપત્ર મૂળ સ્વ૦ સાક્ષર શ્રી ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ M.A.એ તૈયાર કરેલું અને તેને સુધારી વિસ્તારી સુંદર આકારમાં વિશેષ માહિતી સાથે મૂકવાનું કાર્ય મારા મિત્ર પંડિત શ્રી લાલચંદ ભગવાનદાસ ગાંધી તૈયાર કરે છે ને તે ગાયકવાડ સરકાર તરફથી તેની પૌર્વાત્ય ગ્રંથમાલામાં છપાતું જાય છે. જેસલમેરના પ્રાચીન જૈન ભંડારમાના પ્રાચીન ગ્રંથોનું સૂચીપત્ર તે બંને ભાઇઓના તે રીતે થયેલ પ્રયાસને પરિણામે તેજ ગ્રંથમાલામાં ક્યારનું છપાઈ ગયું છે. લીંબડીનો ભંડા૨ કાઠિયાવાડમાં મોટામાં મોટો છે અને તેનું સૂચીપત્ર ગ્રંથ અને ગ્રંથકારની નામાવલી ને રચ્યા-લખ્યા સંવતવાલું સાક્ષર મુનિશ્રી પુણ્યવિજયના મહાપ્રયાસના પરિણામે બહાર પડી ચૂકયું છે, પણ તે ઉપર્યુક્ત બે સૂચીપત્રોની બરોબરી કરી શકે તેમ નથી, છતાંયે તેવા સ્વરૂપે પણ બીજા ભંડારો જેવા કે પ્રવર્તક શ્રીમન્ કાન્તિવિજયજીના વડોદરા અને છાણીના બે ભંડાર, વિજયધર્મસૂરિનો હાલ આગ્રામાં રહેલ ભંડાર, વિજયનેમિસૂરિના ખંભાત અને અમદાવાદમાંના ભંડાર, સુરતના મોહનલાલજી જૈન શ્વે જ્ઞાનભંડાર-જૈનાનંદ પુસ્તક ભંડારજિનદત્તસૂરિ ભંડાર-સીમંધર સ્વામીના મંદિરમાનો તે વડા ચૌટાના ઉપાશ્રયનો વગે૨ે ભંડા૨, રાધનપુરનો, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 802