Book Title: Jain Sahitya
Author(s): Mansukhbhai Kiratchand Mehta
Publisher: Vallabhsuri Smaraknidhi

View full book text
Previous | Next

Page 126
________________ હેમાચાર્ય પ્રાકૃતના પિતા ૧૦૯ પૂર્વે થયેલ છે. તેમ જ તે પહેલાંના જનેતર પાણિનીય તથા વરરુચિનાં પ્રાકૃત વ્યાકરણ છે. જેમ શ્રી હેમચંદ્રાચાર્યની પૂર્વે પાણિનિ, શાકટાયન, કાતંત્ર, સિદ્ધાંતચંદ્રિકા, કંઠાભરણાદિ સંસ્કૃત વ્યાકરણે રચાયાં છે છતાં, શ્રી હેમચંદ્રસૂરિએ સિદ્ધહૈમ સંસ્કૃત વ્યાકરણ રચ્યું, તેમ પાણિનિ, ધનપાળ આદિનાં પ્રાકૃત વ્યાકરણ છતાં, શ્રી હેમચંદ્રાચાર્યે પ્રાકૃત વ્યાકરણ રચ્યું છે. સ્વાભિપ્રેત સરળ-સુગમ-૨સિક શૈલીએ દરેક જુદા જુદા વિદ્વાને એક જ આશયની જુદી જુદી કૃતિઓ જુદી જુદી રીતે, જુદાં જુદાં ક્ષેત્રે, જુદા જુદા સમયે કરે! વાત આમ છે, ત્યાં શ્રી હેમચંદ્રસૂરિને પ્રાકૃતના પાણિનિ ગણવા, આદ્ય પ્રગટí ઠરાવવા અને એમ કરાવી જેની પ્રાકૃતમાંથી ગુજરાતીને અવતાર સંભાવી ગુજરાતીના જન્મનું માન જૈનોને અપાવવાની યુક્તિ વિદ્વાને તે કળી જશે. શ્રી હેમચંદ્રાચાર્યને અપભ્રષ્ટ પ્રાકૃતના પિતા તરીકે ઓળખાવવામાં આવે તે તે ઠીક છે. ચર્ચાસંપન્ન પ્રશ્નની પૂર્વાપર વિધયુક્ત ત્રુટતી દલીલને વિવેક અત્રે સમાપ્ત થાય છે. ગુજરાતી ભાષા શામાંથી અવતરી હશે? ગુજરાતીમાં જન્મરાશિ અપભ્રષ્ટ પ્રાકૃત ગુજરાતી ભાષા અપભ્રષ્ટ પ્રાકૃતમાંથી ઉતરી છે. અપભ્રષ્ટ પ્રાકૃતને વિ. સં. ચૌદમી સદીની સ્તુતિમાને દાખલો આપણે ઉપર ટાંક્યા છે. શ્રી હેમચંદ્રસૂરિની પહેલાં જ તરતમાં થયેલા શ્રી અભયદેવસૂરિને “આગમ અષ્ટોત્તરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 124 125 126 127 128 129 130 131 132 133 134