Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 413
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૦ કરતુરાજર્ષિ ગોપાલે નમી કહ્યું “મહારાજ ! એજ સાંઢ ઉંમર થવાથી વૃદ્ધ થયે છે. વૃદ્ધાવસ્થાએ તેનાં રૂપ, યૌવન અને શક્તિ સંહાર્યા છે.' રાજા મૌન રહ્યો પણ તેના હૃદયમાં વિચારધારા ઘુમવા લાગી. “વૃદ્ધાવસ્થા શું બધાની આવી દશા કરે ? હું પણ શું આવે બેખે, નિસ્તેજ અને પ્રતિભા વિનાને થઈશ? કાલે આ સાંઢ કે સશક્ત અને ગર્જના કરતો હતો. તે આજે સાવ દુર્બળ અને હેશ વિનાને બન્યું છે. કાળ બધાનું બળ, રૂપ અને શક્તિ સંહરે છે. જગતમાં કઈ ચીજ નિત્ય નથી તે પછી રૂપ અને ત્રાદ્ધિમાં શા માટે આસક્ત થવું.” કરકંડુની આ વિચારધારાએ તેમના પૂર્વ સંસ્કાર જાગૃત કર્યા અને તેમને પ્રત્યેક બુદ્ધ બનાવ્યા. કહ્યું છે કે, संबुद्धो दणं रिद्धि वसहरस जोअरिद्धिं च सो करकंडराया, कलिंगजणवयवइ जयउ॥ બળદની યુવાવસ્થા અને પુષ્ટ દેહને જોઈ તથા યુવાવસ્થા ગયા પછી તે જ બળદને દુર્બળ દેહ અને પરાભવતા જોઈ પ્રતિબોધ પામ્યા તે કલિંગ દેશના કરકંડુ રાજા જયવંતા વર્તો. ( ઋષિમંડલવૃત્તિ ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 411 412 413 414