________________
૪૦૦
જનહિતેચ્છ.
- કેચને લીધે એટલું જ કહીને વિરમવું પડે છે કે, જેનેએ પિ*તાની વ્યાપારી કુનેહને આ અગત્યના સવાલના નિર્ણયમાં ઉપયોગ કરવો જોઈએ છે અને ખોટી ધર્માધતા કે અજ્ઞાન કોમેની દેખાદેખીમાં પડીને સમજી લોકો તથા સરકારની નજરમાં હિંદની નિર્બળતા અને જેનોની મૂર્ખાઈ જાય એવા પગલાથી દૂર રહેવું જોઈએ છે, જે જે કોમેએ આવી મૂર્ખાઈ કરી છે તે બધાને છેડા જ વખતમાં પસ્તાવાનું કારણ મળશે અને કોગ્રેસના આગેવાનોને પણ યોજનાનું એવું કલોઝ વિસ્તારથી સમજાવવાની જરૂર પડશે. જેને, વૈષ્ણ, લિંગાયતે, શૈવીઓ, પારસીઓ! હિંદી વજીર પાસે માગવું જ હોય તે બધા એક સાથે અને એકજ શબ્દમાં માગો કે “અમને જોઈએ છે માત્ર બ્રિટિશ છાયા નીચે તુરતાં. સ્વરાજ્ય !” બીજી કોઈ માગણું કરવી તે પ્રત્યક્ષ નહિ તે પક્ષ રીતે દેશદ્રોહ કરવા બરાબર જ છે.
- વા. મે. શાહ.
તાર સમાચાર–જેન એસોસીએશન ઑફ ઈંડિયા જોગ એક ચેતવણીને પત્ર આજરોજ મુંબઈના શ્વેતામ્બર સંઘપતિ રતનચંદ ખીમચંદ, શ્વેતામ્બર ખરતરગચ્છના અગ્રેસર શેઠ ગણેશલાલ શેભાગમલ, કચ્છી વેતામ્બર મૂર્તિપૂજક જાણીતા ગૃહસ્થ ટેકરસી કાનજીની કંી, ખીસસી બુધા, હરખચંદ શીવજી, દિગમ્બર આગેવાન રાયબહાદુર દાનવીર, શેઠ હુકમચંદજી ઈડરવાળા, શેઠ જુવારમલ મૂળચંદ બેન્કર, શેઠ માણેકચંદ પાનાચંદ રા. લલુભાઈ પરમાણંદ. દાસ પરીખ L. C. E.. પંડિત ધનાલાલ કાલીવાલ; અને સ્થાનકવાસી આગેવાનો શેઠ ગાડમય ગુમાનમલ અજમેરવાળા, વાડીલાલ મોતીલાલ શાહ, વગેરે વગેરેની સહીઓ સાથે ગયો છે, જેમાં જેને માટે ખાસ પ્રતિનિધિવના હકની માગણી સાથેનું માનપત્ર આપવાની હીલચાલ છોડી દેવા સૂચના કરી છે તથા હિંદના ત્રણે ફિરકાના જેની પ્રતિનિધિ સભા - એસોસીએશને ભૂલથી માનવા સરકાર અને પબ્લીક દેશ'. નય એવી રીતે કોઈ વખત કામ ન કરવા ચેતવણી આપ. , કારણ કે તે સંસ્થા હિંદના દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક કે સ્થાનકવાશી એક પણ સંધની પ્રતિનિધિ સભા નથી.
મુંબઈ, તા. ૧૦-૧૧-૧૭.