Book Title: Jain Dharm Prakash 1978 Pustak 094 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનને અંધકાર કેવી રીતે દૂર કરશો? લેખક : દીપચંદ જીવણલાલ શાહ ઘણીવાર એવું બને છે કે આરંભમાં સાધકની સામે મિત્ર વિચિત્ર પ્રશ્નો આવીને ઉભા રહે છે. પણ એક વાર તમારામાં સાધક તરીકેના તીવ્ર સંસ્કાર સ્થિર થયા પછી તમારા મનમાંથી ચિત્ર વિચિત્ર પ્રશ્નોને ધીમે ધીમે ક્ષય થવા લાગશે. મનમાં થયેલે અંધકાર તે અનેક જન્મને હોય છે. એક કે બે દિવસમાં આ અંધકારને દૂર કરી શકાતું નથી. એક સત્ય તે દ્રઢ પણે સમજી લેજો કે મનની પકડ આ પણા ઉપર જ ખરી હોય છે. એટલે જે આ સંસ્કારના હુમલાથી ગભરાયા તે ગયા સમજજે. શરૂઆતના દિવસોમાં હું માળા ફેરવવા કે ધ્યાનમાં લીન થવા પ્રયત્ન કરે ત્યારે મારૂં મને મારી કફેડી દશા કરી નાંખવું મારા મનની નીચી ભૂમિકા વિરાટ સ્વરૂપે પડી થઈ જતી મનમાં વિચારોનું દેવું થયા ફકત જીભ ઈશ્વરનું રટણ કરે બાકીની ઈદ્રિ તેમાં જોડાતી નહિ. હું વિહવળ બની જતે, મનના વિકારે એવો જોરદાર હુમલે કરતાં કે કેટલીકવાર હું ધ્રુજી ઉડત, મને એમ થયું કે ખરેખર મારૂં વ્યકિતનું આટલું કુરૂપ છે, ગટર સારૂ કરનાર જેમ જેમ ગટર સારૂ કરતા જાય છે તેમ ચારે બાજુ બદબૂની પાત્રા પૂર્ણ પણે ફેલાઈ જાય છે. માથું ફાટી જાય તેવી નકાર વાસ મારે છે જ્યારે આપણા મનને દિવ્યતાને સ્પર્શ થાય છે ત્યારે મનના વિકારો પિતાનું સ્થાન અડીખમ રાખવા માટે પિતાની તમામ શકિતને ઉપયોગ કરે છે. આ સંસ્કારે અતિ શકિતનું સ્વરૂપ ધારણ કરીને આપણી સાધનાના સાત્વિક પ્રયાસને ધરાશય કરવા સંપૂર્ણ પ્રયાસ કરે છે. આ સ્થિતિ ગભરાવનારી હોય છે. સાધકને મુંઝવણ થાય છે કે આ બધું શું યાય છે? આ બધું કેમ થાય છે? મનના સંસ્કારને નવું સ્વરૂપ આપવાનું છે, એ માટે આપણી જાગૃતિના અનુસં. ધાનમાં જેટલા વર્ષ લાગે તેટલાં થવા દે એક તબકકે એ આવશે કે જ્યારે મન નવા સંસ્કારની દુનિયામાં નવીના જગી ભરી ઉમા પ્રાપ્ત કરી શકશે. દ્રષ્ટિ બદલાઈ ગઈ હશે. અધિકારનું સ્વરૂપ પ્રકાશમાં રૂપાન્તરીત થવા પામ્યું હશે. અમુક વર્ષના જબરજસ્ત વિગ્રહ પછી આજે મારા મન ઉર્વ સંસ્કારો એ પ આપી શક છું. આજે મને અપાર શાંતિ લાગે છે કેઈક દિવ્ય શકિત સાથે મન નિર તર એકતા સાધવા પ્રયત્ન કરી રહ્યું હોય તેમ લાગે છે ઘણીવાર આ દરથી કઈ અગમ્ય આનંદને ઘેધ ધસમસતે પિતાની ધારદાર ગતિ કરી રહ્યો છે તે અનુભવ થાય છે. પણ આ સ્થિતિ હોવા છતાં મારે જાગૃતિ રાખવી પડે છે. (કમશઃ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16