Book Title: He Prabhu Shu Kahu
Author(s): Atmanandji Maharaj, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 45
________________ ४४ દોહરો - ૧૯ અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? અર્થ – હે પ્રભુ! આખા જગતમાં હું અધમાધમ જીવ કરતાં પણ વધુ અધિક પતિત છું, પાપી છું, એવો મારી પામરતાનો મને જ્યાં સુધી નિશ્ચયપૂર્વકનો સ્વીકાર નહીં થાય, ત્યાં સુધી બીજાં સાધનો કઈ રીતે ફળદાયી થાય? અર્થાત્ ન જ થાય. મારા અંતરને પૂછું આ પ્રશ્ન ૧) આ જગતમાં અનેક ત્રાસવાદી, ખૂની, ચોર વગેરે છે; તેમના કરતાં પણ હું ખરાબ શા માટે છું? .............................................................. ૨) હું સૌથી વધારે ખરાબ છું એવો ભાવ મને શા માટે રહેતો નથી? ૩) મારાં સાધન સફળ થાય તે માટે હું સૌથી વધારે ખરાબ છું એ નિશ્ચય શા માટે જરૂરી છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50