Book Title: Girnar Chittpravadi Author(s): Vidhatri Vora Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf View full book textPage 1
________________ ગિરનાર ચેત્તપ્રવાડિ સ. વિધાત્રી વેારા અજ્ઞાત કર્તાની આ કૃતિ કેવળ પચ્ચીસ ગાથાની જ છે, છતાં તીના ઇતિહાસની દૃષ્ટિએ માહિતીસભર હાઈ, મહત્ત્વની છે. સાદી અને સરળ એવી આ રચના સાહિત્યિક દૃષ્ટિએ ખાસ નૈાંધપાત્ર નથી, તેા પણુ પ્રાસ (એકાદ સ્થાનાપવાદ સિવાય) તૂટતા ન હેાવાથી ગેય અને સુવાચ્ય છે; છંદ ‘દેાધક' છે. મંત્રીશ્વર વસ્તુપાળના ગિરનારના શિલાલેખા (સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨), મંત્રીશ્વરના કુલગુરુ નાગેન્દ્રગચ્છીય વિજયસેનસૂરિ કૃત રેવ’ગિરિ રાસ' (આ. સં. ૧૨૮૮/ઈ. સ. ૧૨૩૨]o, ધર્માંધાષસૂરિ કૃત ‘ગિરનારક૫’ (૧૩મી શતાબ્દીનું ત્રીજુ ચરણુ) જિનપ્રભસૂરિ રચિત ‘રૈવતકલ્પ’ અને અન્ય રચનાએ (તેરમા શતકના અંત અને ચૌદમા શતકના પ્રારંભ),૩ અજ્ઞાત કર્તાના પેથડરાસ' (આ. સ’. ૧૩૬૦/ઈ. સ. ૧૩૦૪),૪ દેવસૂરિ કૃત ‘સમરારાસુ' (આ, સ’. ૧૩૭૧/ઈ. સ. ૧૩૧૫),૫ – આદિ રચનામાં ગિરનારના જૈનમદિર વિશે નોંધ મળે છે. એકદરે તે આ સૌ ગિરિસ્થ તી ભવના વિશેની નોંધામાં સમાન કથા મળે છે. આ સિવાય હુમડુ સ કૃત ગિરનાર ચેત્ત પરિપાટી (આ. સ. ૧૫૧૫/ઈ. સ. ૧૪૫૯),૭ અને રત્નસિહસૂરિ શિષ્યે રચેલી ગિરનાર તી માલા' (આ. સં. ૧૫૨૩/ઈ. સ. ૧૪૬૭)માં ઉપર્યુક્ત રચનાઓમાં અપાયેલ સામગ્રી ઉપરાંત પંદરમા શતકમાં ગિરનાર પરમધાયેલ ખીન્ન પશુ કેટલાંક મંદિરાના ઉલ્લેખ છે. આ બધી જ કૃતિઓનું સમાંતર પઠન રસપ્રદ અને નેંધનીય બની રહે છે, આગળ વિશેષ ચર્ચા કરતાં પહેલાં સાંપ્રત કૃતિ વિશે થાડી પ્રારભિક વિગતા જોઈએ, સાંપ્રત પ્રતિ પાટણુંના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાંની શ્રીસંધ જૈનભંડારની ક્રમાંક ૩૧૩૨, ડા. ૧૧૪ની છે. ‘અખ઼ુદાચલ વિનતી સંગ્રહ આદિ વિનતી સંગ્રહ' એવું આ પ્રતિનું શીષ ક છે, જેના છેલ્લા પત્રમાં પ્રસ્તુત કૃતિ ‘ગિરનાર ચેત્ત પ્રવાડિ' નામે છે. પ્રતિનું માપ ૨.૫ × ૧૧.૫ પત્ર ૮ છે. સરાસરી દરેક પત્રમાં ૧૮ લીટી અને દરૈક લીટીમાં ૫૭ અક્ષર છે. પ્રતિની લેખનશૈલી સાળમા શતકની છે; પરિપાટી જૂની ગુજરાતીમાં નિષ્હ છે. આ કાવ્યમાં રચના સંવત આપેલેા નથી પર'તુ, હેમહ ંસે ગિરનાર ચેત્ત પરિપાટી'માં અને અને રત્નસિંહસૂરિ શિષ્યે ગિરનાર તીર્થંમાળા'માં – પંદરમી સદીમાં બંધાયેલાં જે ત્રણ મદિરે ઉલ્લેખ કર્યાં છે, એ મદિરાના ઉલ્લેખ આ કાવ્યમાં કરવામાં આવેલા નથી. એ ત્રણ મંદિરો તે નરપાલ સૌંધવી, સમરસિંહ-માલદે, અને ભુભવ શાણુરાજનાં છે. એ સમયના પ્રખ્યાત આ મદિરા આ કાવ્યની રચના સતયે હજી બંધાયેલાં નહિ હેાય. ઉપરાંત ભાષાની દૃષ્ટિએ પણુ આ કૃતિ આગળની એને મુકાબલે વહેલી રચાયેલી લાગે છે. એટલે કે પંદરમી સદીના પ્રારંભ કાળની કે એ પહેલાંની આ કૃતિ સભવી શકે. પ્રતિના અન્તભાગે “જયાનંદણુએ લખ્યું” એમ નોંધ છે. આ સમયમાં થઈ ગયેલા જયાન ગણિ તે તપાગચ્છીય સામતિલકસૂરિના શિષ્ય જયાનંદસૂરિ હોવા જોઈએ જેમને વવાસ સ. ૧૪૪૧/ઈ. સ. ૧૩૮૫માં થયેા છે. આ વાત ધ્યાનમાં લઈએ તે આ કૃતિ તે પહેલાંની હાય. કર્તા કાઈ જૈન યાત્રિક કવિ છે અને તેમના સમય આગળ નિર્દેશેલા હેમહ`સની પાસે હશે એમ તેમણે આપેલી નાંધા અને કૃતિની સરાસરી ભાષા ઉપરથી જણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5