Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 370
________________ મનોવધ્યાસમાં અટવાયા કરશો તો ચોક્કસ ક્રોધ હેરાન કરશે. પણ, એક વાર આતમઘરમાં તમે પ્રવેશી ગયા પછી ક્રોધની તાકાત નથી કે તમને એ હેરાન કરી શકે. એક વાર શરીર ઉપરની મમતા, ઈન્દ્રિયો તરફની રુચિ અને મનના વિકલ્પોને સમાપ્ત કરી દો, પછી જુઓ કે ક્રોધ તમને કેવી રીતે ખલેલ પહોંચાડી શકે છે ? તમારી દિનચર્યા તપાસી જુઓ. જ્યારે જ્યારે પણ તમે ક્રોધ કરી બેઠા છો ત્યારે ત્યારે તમારો ઉપયોગ આ ત્રણમાં જ અટવાયો હશે. (1) શરીરની આસક્તિ (2) ઈન્દ્રિયો અને તેના વિષયો શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ - આ બધાં તરફની રુચિ અને (3) મનના સંકલ્પ-વિકલ્પો - આ ત્રણ પરિબળોમાંથી કોઈ એકાદ પરિબળના જોર ઉપર જ ગુસ્સો થવો શક્ય છે, કોઈ તમારું અપમાન કરી જાય, વિશ્વાસઘાત કરી જાય. આ બધાં વખતે તમને ગુસ્સે કરાવવામાં મનના સંકલ્પ-વિકલ્પો મહત્ત્વનો ભાગ ભજવે છે. “અમુક વસ્તુ મને કેમ ન મળે ? આને કેમ અમુક વસ્તુ મળી ?" - ઈત્યાદિ વિચારધારાના પ્રતાપે જે પણ ગુસ્સો પ્રગટે છે, તેમાં ઈન્દ્રિયોની રુચિ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. તમને કોઈકનો ઠોસો લાગી જાય, કોઈકની ભૂલના કારણે તમે પડી જાઓ - આ બધાં સમયે આવતા ગુસ્સાની પાછળ દેહાધ્યાસ મહત્ત્વપૂર્ણ પરિબળ છે. આ ત્રણ પરિબળથી વેગળા થઈ જાઓ. પોતાના નિર્વિકાર સ્વરૂપમાં સ્થિર થતા જાઓ તો ગુસ્સો આવી જ શી રીતે શકશે ? પરમાત્મા મહાવીર મહારાજા દેહ છતાં દેહાતીત જેવી અવસ્થામાં ગોઠવાયા. માટે કાનમાં ખીલા ઠોકાયા છતાં ક્રોધની એક લહેરખી પણ પ્રભુના મનને અસ્થિર ન કરી શકી. આ અવસ્થામાં સદા કાળ રમતા રહીને પરમાત્માએ કેવલજ્ઞાન મેળવી લીધું. શરીર, ઈન્દ્રિય અને મન - આ ત્રણના આકર્ષણથી છૂટકારો મેળવીને જ, આ ત્રણેયમાંથી ઉપયોગને વાળી તેને આતમઘરમાં રાખીને જ તાત્વિક રીતે ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત થાય. માટે, દેહ, ઈન્દ્રિય અને મન - આ ત્રણેય ઉપરની આસક્તિ, રુચિ વગેરેને ક્રમશઃ ઘટાડતા જાઓ. તો જ ક્રોધ ઉપર વિજય 351

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434