Book Title: Ghar Kari Gayela Krodhne Gharmulthi Ghamroli Nakhti Policy
Author(s): Yashovijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 395
________________ કચડાયો જ નથી ? સામેવાળી વ્યક્તિ જાણી જોઈને તો તમારા પગને કચડતી નથી ને ? તમારો પગ કચડાય તેમાં સામેવાળી વ્યક્તિ દોષિત છે કે આખરે તમારી જ ભવિતવ્યતા ગુનેગાર છે ? તે બાબત શાંતિથી વિચારો. માત્ર આ પુસ્તકને ઝડપથી વાંચવામાં આગળ ન દોડો. એક વાત સતત ઘૂંટો કે “હોની અનહોની નથી થતી.' પછી આવા નાના નાના સંકલેશો ઘટવા લાગશે. નવા નકોર હાઈટ એન્ડ વ્હાઈટ કપડા ઉપર કોઈની પાનની પિચકારી કે શાહીના છાંટા ઉડે ત્યારે મન સ્વસ્થ રહે ખરું ? કે પિચકારી ઉડાડનાર ઉપર ગુસ્સો આવે ? તમે તે વ્યક્તિને ગાળ આપો કે તેના ઉપર ગુસ્સો કરો એટલા માત્રથી તમારા કપડા સફેદ થઈ જવાના છે? ઊલટું તમારું મન કાળુંમેશ થઈ જશે. આવી બધી ઘટનાઓ પ્રત્યે હોનહારને જવાબદાર ઠેરવી મનને સ્વસ્થ રાખી લેવા જેવું છે. અરે ! જેના ઉપર તમે બહુ મોટો ઉપકાર કર્યો હોય અને એ વ્યક્તિ પણ જો કટોકટીના સમયમાં તમને સહાય કરવા તૈયાર ન હોય ત્યારે તે વ્યક્તિને પણ દોષિત માની લેવાની ભૂલ ન કરતા. હોનહાર જ જ્યારે તેવા પ્રકારની હોય તો સામેવાળી વ્યક્તિ શું કરશે? શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને નજર સમક્ષ રાખો. તમે કદાપિ સામેવાળી વ્યક્તિ પ્રત્યે માનસિક પણ અણગમો કરી નહીં શકો. ટૂંકમાં, આ હોનહાર પોલિસી એટલું જ કહે છે કે - જ્યારે જે થવાનું નિયતિમાં લખ્યું છે ત્યારે જ, તે જ થવાનું જ છે. તેમાં ફેરફાર કરવાની કોઈની તાકાત નથી. હોની કદાપિ અનહોની થતી નથી. હોનહારને ઓળંગી કોઈ પણ વ્યક્તિ કદાપિ પોતાના ઈચ્છિત લક્ષ્યને પામી શકી નથી. તો પછી જીવનમાં ઘટી જતી પ્રતિકૂળ ઘટનાઓમાં શા માટે મનને બગાડવું ? હોનહારને જ લક્ષમાં રાખી મનની સમાધિ ન ટકાવી શકીએ ?' ચલો ! આ હોનહાર પોલિસીને અપનાવવા દ્વારા શીવ્રતયા ક્રોધથી છૂટકારો મેળવીએ. જો આ હોનહાર પોલિસી પણ જીવનમાં ઉતારી શક્યા તો માની લેજો કે તમારા હોનહારમાં ક્રોધવિજયે લખાયેલ જ છે !! 376

Loading...

Page Navigation
1 ... 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434