Book Title: Dhyey Siddhi
Author(s): Gokulbhai C Shah
Publisher: Sahajatmaswarup Paramguru Trust

View full book text
Previous | Next

Page 601
________________ ૫૭૮ છ પદનો પત્ર સપુરુષના ઉપદેશને નમસ્કાર કર્યા. સત્પરુષનો ઉપકાર તો ક્યારે થાય? કે જ્યારે એમનો ઉપદેશ થાય. એમનું યોગબળ આપણું કલ્યાણ કરે છે. યોગબળમાં આ વચનબળ છે. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “સપુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” યોગબળ એટલે મનવચન અને કાયાનું યોગબળ. કાયાના યોગબળ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે, વચનના યોગ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. તેમજ પોતાના ઉત્તમ પ્રકારના મનના ભાવો દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થવામાં નિમિત્તભૂત થાય છે. તો, “સ્વસ્વરૂપમાં સહજમાં અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો અને પાછો યથાર્થ માર્ગ બતાવ્યો. તો એવા સપુરુષને અમારા અત્યંત અત્યંત-ભક્તિપૂર્વક નમસ્કાર. જુઓ ! શ્રી આત્મસિદ્ધિમાં પણ ઉપસંહારમાં “અહો ! અહો ! શ્રી સદ્દગુરુ' એમ કહી એ ચાર ગાથામાં નમસ્કાર કર્યા છે, તેમજ પ્રથમ અને છેલ્લી ગાથામાં પણ નમસ્કાર કર્યા છે. શ્રીઆત્મસિદ્ધિમાં પુરુષનું માહાત્મ કેવી ભક્તિથી જ્ઞાની પુરુષોએ ગાયું છે એ આપણને ખ્યાલ આવે છે. કેટલો ઉપકાર છે સપુરુષનો! જેમણે આપણને શાશ્વતુ અભયદાન આપ્યું. એવા સત્પરુષના ઉપકારનો બદલો કોઈ વાળી શકે એમ નથી અને પાછું નિષ્કારણ કરુણાથી બોધ આપ્યો. કોઈપણ જાતનો લૌકિક લાભ ઉઠાવવાનું અંતરંગમાં જ્ઞાની પુરુષોને હોતું નથી. સપુરષોની નિષ્કારણ કરણા હોય છે. એમને એવું નથી હોતું કે અમે ઘરડાં થઈશું એટલે શિષ્યો અમારી સેવા કરશે અને થોડાં શિષ્યો હશે તો કંઈ મારો મોભો વધશે અથવા મારું નામ આગળ આવશે. એવો કોઈપણ પ્રકારનો આશય હોતો નથી. સામા જીવના આત્મા પર અનુકંપા આવવાથી જે ભાવ આવ્યો તે નિષ્કારણ કરુણા છે. સામેવાળા જીવને જુએ કે મનુષ્યભવમાં આવેલો આ જીવ છે અને થોડા સમય માટે જ આવેલો છે અને આ મનુષ્યભવ એના હાથમાંથી થોડા સમયમાં જતો રહેવાનો છે અને સ્વરૂપની ઓળખાણ કર્યા વગર જો આ જીવ ગયો તો ચોર્યાશીમાં એનો પત્તો પણ મળે એમ નથી અને આ જીવ હજી કંઈક સમજી શકવાની યોગ્યતાવાળો દેખાય છે. એટલે એવા જીવને જ્ઞાની પુરુષો નિષ્કારણ કરુણાથી, પહેલા જીવની યોગ્યતા જોઈ, તેને માર્ગ ઉપર ચડાવે છે. પ્રથમ તો જીવની યોગ્યતા હોવી જોઈએ. યોગ્યતા ન હોય તો લાખ વર્ષ સત્પરુષ પાસે રહે તો પણ કંઈ કલ્યાણ થઈ શકતું નથી. હજારો વર્ષ રહે તો પણ એમ કંઈ કલ્યાણ થઈ જતું નથી. પહેલા જીવમાં વિનય, વિવેક, સમર્પણતા, શ્રદ્ધા આ બધા ગુણો વિકાસ પામ્યા હોય તો જ સત્પરુષનો બોધ નિમિત્તભૂત થઈ શકે છે. નહીં તો થઈ શકતો નથી. પુરુષ મળે છે. ઘણાંને, પણ ફળે છે બહુ થોડાને.

Loading...

Page Navigation
1 ... 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700