Book Title: Dharm ane Panth 01 Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 4
________________ ધર્મ અને પંથ ૧૩ અને પિતે ચાલતું હોય તે જ રસ્તો શ્રેષ્ઠ લાગે છે તેથી તે બીજે બધે બદબ અને બીજામાં પિતાના પંથ કરતાં ઉતરતાપણું અનુભવે છે. ટુંકમાં કહીએ તો ધર્મ માણસને રાતદિવસ પિષાતા ભેદ સંસ્કારમાંથી અભેદ તરફ ધકેલે છે અને પંથ એ પોષાતા ભેદમાં વધારે અને વધારે ઉમેરો કરે છે. અને ક્યારેક દૈવયોગે અભેદની તક કોઈ આણે તો તેમાં તેને સંતાપ થાય છે. ધર્મમાં દુન્યવી નાની મોટી તકરાર પણ (જર, જેરૂ જમીનના અને નાનમ મોટપના ઝઘડાઓ) શમી જાય છે. જ્યારે પંથમાં ધર્મને નામે જ અને ધર્મની ભાવના ઉપર જ તકરારે ઉગી નીકળે છે. એમાં ઝઘડાદિના ધર્મની રક્ષા જ નથી દેખાતી. આ રીતે જોતાં ધર્મ અને પંથનો તફાવત સમજવા ખાતર એક પાણીને દાખલે લઈએ, પંથ એ સમુદ્ર, નદી, તળાવ કે કૂવામાં પડેલા પાણુ જેવો જ નહિ પણ લેકના ગળામાં ખાસ કરીને પીવાના હિંદુઓના ગળામાં પડેલ પાણુ જેવો હોય છે. જ્યારે ધર્મ એ આકાશથી પડતા વરસાદના પાણુ જેવો છે. એને મન કોઈ સ્થાન ઉંચુ કે નીચું નથી. એમાં એક જગાએ એક સ્વાદ અને બીજી જગાએ બીજે સ્વાદ નથી. એમાં રૂપરંગમાં પણ ભેદ નથી અને કોઈ પણ એને ઝીલી કે પચાવી શકે છે. જ્યારે પંથ એ હિંદુઓના ગેળાના પાણી જેવો હોઈ તેને મન તેના પોતાના સિવાય બીજાં બધાં પાણી અસ્પૃશ્ય હોય છે. તેને પોતાને જ સ્વાદ અને પિતાનું જ રૂપ ગમે તેવું હોવા છતાં ગમે છે અને પ્રાણુતે પણ બીજાના ગોળાને હાથ લગાડતાં રોકે છે. પંથ એ ધર્મમાંથી જન્મેલ હોવા છતાં અને પિતાને ધર્મપ્રચારક માનવા છતાં તે હંમેશાં ધર્મને જ ઘાત કરતા જાય છે. જેમ જીવતા લોહી અને માંસમાંથી ઉગેલો નખ જેમ જેમ વધતો જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7