Book Title: Dhanyabhumi Loladano Aetihasik Parichaya
Author(s): Jayantilal P Shah
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ વંદનીય અને પૂજ્ય યુગપ્રધાન શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી દાદાની જન્મભૂમિ હાવાનુ... જેને ગૌરવ અને અભિમાન છે, એ ‘ લાલાડા ’ ગામ ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના સમી તાલુકામાં આવેલું છે. આ લેાલાડા ગામ પ્રસિદ્ધ મહાતીર્થં શંખેશ્વરજીથી ૧૦ કિ. મિ; પાટણ (ઉ. ગુ.) થી ૬૦ કિ. મિ., રાધનપુરથી ૩૫ કિ. મિ.; મહેસાણાથી ૮૫ કિ. મિ.; હારીજથી ૩૦ કિ. મિ.; સમીથી ૨૪ કિ. મિ. અને અચલગચ્છના ગઢ સમાન માંડલ ગામથી ૪૫ કિ. મિ. દૂર થાય છે. લેાલાડા ગામ એ શખેશ્વર તીથની પંચીથી માંનું એક ગામ છે. આ ગામે આવવા માટે રાધનપુર-વીરમગામ રાજ્ય ધારીમા ઉપરના સમી-શ'ખેશ્વર વચ્ચેના ‘જેસડા’ ગ્રામથી પાકા ડામર રોડ થયેલા છે. ઉપરાંત મહેસાણા, હારીજ, રાધનપુર, સમી અને શ...ખેશ્વરથી એસ. ટી. બસ પણ મળે છે. ધન્યભૂમિ લાલાડા જયંતીલાલ પી. શાહ લેાલાડા ગામ એ અતિ પ્રાચીન અને ભૂતકાળમાં ભવ્ય જાહોજલાલી ધરાવતું ગામ છે. તેના સહુ પ્રથમ ઉલ્લેખ ઇતિહાસમાં ઈ. સ. ૮૦૦ આસપાસના જોવામાં આવ્યા છે. ગુજરાત રાજ્યના સહુથી પ્રથમ એવા સ્થાપક વીર વનરાજ ચાવડાના જન્મ લેાલાડા પાસેના જગલમાં થયેા હાવાના ઉલ્લેખ ઇતિહાસમાં છે. વનરાજ, પૂજ્ય કલ્યાણસાગરસૂરિદાદા, વચ્છરાજ સાલકી જેવાં અનેક નરરત્ને લેાલાડા ગામની વીરભૂમિમાં પાકેલાં છે. આ ગામ પહેલાં માટુ' નગર હતું, જનાનાં ૧૦૦ ઘરો હતાં. ચાવીસ પરગણાની, રાઠોડ વશના ગરાસિયાની રાજધાનીનું શહેર હતું. મૂળ નાયક શ્રી શાંતિનાથ ભગવાનનું દહેરાસર, ઉપાશ્રય, પાઠશાળા ઇત્યાદિ હતું. દહેરાસરમાં પાંચ જિનમિષ પ્રતિષ્ઠિત થયેલાં હતાં. પરંતુ કાળચક્ર જેમ અનેક પૌરાણિક શહેરાના ધ્વસ કર્યાં છે, તેમ આ ગામને પણ છેડયું નથી. ભારતમાંના મુસ્લિમ શાસનકાળમાં ધર્માંધ મુસ્લિમાની ચડાઈ એ અને હુમલાઓનું નિશાન લાલાડા પણ બનેલું છે. હિંદુ ગરાસિયા રાજવીઓને વટલાવીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરવાની ફરજ પાડવાથી, અહીંના રાજવી વંશના રાહેાડ કુળના ગરાસિયા અત્યારે માલેસલામ ગરાસિયા ' તરીકે ઓળખાય છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5