________________ જૈનધર્મને પ્રાણુ " સંકડો વર્ષોથી ચીન એમ્બારનાં લોકકવિ , માંથી ચોમાસાને ભેજ ઉડાવવા અને પુસ્તકની સારસંભાળ લેવા ત્રણ દિવસનું સરસ્વતીશયન નામનું પર્વ ઊજવે છે; જ્યારે જેને કાર્તિક શુદી પંચમીને જ્ઞાનપંચમી કહી તે વખતે પુસ્તકે અને ભંડારોને પૂજે છે, અને એ નિમિત્તે માસામાંથી સંભવ બગાડ ભંડારામાંથી દૂર કરે છે. આ રીતે જૈન જ્ઞાનસંસ્થા, જે એકવાર માત્ર મૌખિક હતી તે, અનેક ફેરફાર પામતી પામતી, અને ઘટાડે વધારે અને અનેક વિવિધતા અનુભવતી અનુભવતી આજે મૂર્તરૂપે આપણી સામે છે. [દઅચિંત્ર ભા. 1, પૃ. 373-375 ] જૈન ભંડારની અસાંપ્રદાયિક દષ્ટિ સેંકડે વર્ષોથી ઠેર ઠેર સ્થાપન થયેલા મોટા મોટા જૈન જ્ઞાનભંડારમાં ફક્ત જૈન શાસ્ત્રોનું કે અધ્યાત્મશાસ્ત્રનું જ સંપ્રહ-સંરક્ષણ નથી થયું, બબ્બે એની ભારત અનેક પ્રકારનાં લૌકિક શાસ્ત્રોનું અસાંપ્રદાયિક દૃષ્ટિએ સંગ્રહ સંરક્ષણ પણ થયું છે. વૈદક, તિષ, મંત્રતંત્ર, સંગીત, સામુદ્રિકશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર, કાવ્ય, નાટક, પુરાણ, અલંકાર અને કથાચ તેમ જ બધાં દર્શનેનાં મહત્વનાં શાસ્ત્ર બધાંનું જૈન જ્ઞાનભંડારોમાં કેવળ સંગ્રહ સંરક્ષણ જ નથી થયું, બકે એના અધ્યયન અને અધ્યાપન દ્વારા કેટલાક વિશિષ્ટ વિધાનએ એવી પ્રતિભામૂલક નવી કૃતિઓની રચના કરી કે જે બીજે દુર્લભ છે, અને મૌલિક કહી શકાય એવી છે. જૈન જ્ઞાનભંડારેમાંથી એવા ગ્રંથે પણ ઉપલબ્ધ થયા છે, જે બૌદ્ધ વગેરે અન્ય પરંપરાઓના છે, અને આજે દુનિયાના બીજા કોઈ પણ ભાગમાં મૂળ સ્વરૂપે હજી સુધી ઉપલબ્ધ થયા નથી. [દઔચિં૦ નં૦ 2, 50 518-19] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org