Book Title: Buddhiprabha 1909 08 SrNo 05
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ ૧૫૮ અને તે વિષે મુંબાઈ ગેબીયર વાલ્યુમ ૫ પાને ૩૧૮ અને જેન તરવાદરેશમાં પાને ૫૬ થી બીના મ છે. સંવત ૧૪૩૦ માં સોમસુંદર સૂરિને જન્મ થયો, ત્યારે એ શહેર આ કાવ્યના લખાણ પ્રમાણે ધણુંજ આબાદ હતું એમ માલુમ પડે છે. જૈન તત્ત્વાદશમાં કહ્યા મુજબ સંવત ૧૩૨૩ માં પણુ એ શહેર ઘણું આબાદ હતું. તે વખતે તેમાં ૮૪ શાહુકાર પાલખીએ બેસનારા હતા. વળી દરરોજ દેહરામાં શ્રાવકે મુકતા તે ચોખાનું માપ એક મુડે ચતું, અને સાપારીઓનું માપ મણ ૧૧) થતું. ત્યાં ઘણું જિનાલયે પ્રાચીન વખતમાં હતાં તેમાં સંદેહ નથી. હાલના વખતમાં શહેર નજીકમાંથી ધણી ભવ્ય જિન પ્રતિમાઓ પાષાણ તેમ ધાતુની કેટલીક વાર જમીનમાંથી નીકળેલા છે. અને શહેરના બંને મહટાં દેહરામાં મોજુદ છે. વળી ભાગલી પ્રતિમાઓ પણ એકવાર જમીનમાંથી નીકળી ત્યારે હું હાજર હતા. તે જોઈને ખેદ થયા પછી મારે કાણે પાછી ભંડારી દવામાં આવી હતી. વલ્લાદન રાજનો ચોક સમય જણાવ્યો નથી. એ રાજા વિષે ઉપર બતાવેલ ગેઝેટીયરમાં એવું લખ્યું છે કે તે ચંદ્રાવતી નગરીના ધારા વ પરમારને ભાઈ હ. એ ચંદ્રાવતી માટી નગરી હતી. હાલ તેનું ખંડેર - બુજી પાસે છે એમ કહેવાય છે. વળી રાસમાળાના ગુજરાતી ભાષાંતરની આજ આવૃત્તિ પાને ૪૦૫ માં લખાણ છે તેથી એમ અનુમાન થાય છે કે સંવત ૧૨૨૦ થી સંવત ૧૬૫ ના અમ્માના લગભગ પ્રદન રાવળ યો હા જોઈએ. પ્રદ્ધાદન રાવળની કથા સ્નાત્ર પંચાલીકાની ચોપડીમાં પાને ૨૪૮ થી છે. તેમાંથી એમ જણાય છે કે આબુ પર કુમારપાળ રાજાના કરાવેલ દેહરામાં શ્રી પાર્શ્વનાથજીની ધાતુમય પ્રતિમા હતી તે એ રાજાએ ગાળીને મહાદેવ આગળ પિઠીએ કરાવ્યું. પછી તેને ગળત કોડનો રોગ થયો. કોઈ મુનિના કહેવાથી પ્રહાદન નગરમાં તે રાજાએ દેહરૂ કરાવ્યું અને તેમાં કંચનમય શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા સ્થાપી, બહુ ભક્તિથી એ રાજએ પૂજા કરવા માંડી તેથી તેને રોગ ગ. પાલનપુરમાં હાલ મુસલમાની રાજ્ય કતાં શ્રી શેરમહમદ ખાનજી કે. છ, સી. આઈ. ઈ. સાહેબ બહાદુર છે. તેમને ઇલકાબ પ્રાચીન વખતથી દીવાનને છે. તેઓ ઘણુ ગુણવાન, કાબેલ અને પ્રજાપ્રિય રાળ છે. સામસુંદર સૂરિના સમયમાં ત્યાં કેણુ રાજ્ય કર્તા હતા તે આ કાવ્યના રચનારે બનાવ્યું નથી. સામસુંદર નિા સાંસારિક હતા જજન ગે મંત્રી હતા,

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36