Book Title: Bhedgyan Bhavanjali Author(s): Amitaben Jain Publisher: Digambar Jain Mumukshu Mandal View full book textPage 8
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ભેદજ્ઞાન-ભજનાવલી ને શ્રી સદગુરુદેવાય નમ: પ્રકાશકીય નિવેદન અહો! ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન કુંદ ધ્વનિ આપ્યા, અહો ! તે ગુરુ કહાનનો. અમ સૌ મુમુક્ષુઓનાં મહાભાગ્ય છે કે પરમકૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીના પરમ પ્રતાપે ભેદજ્ઞાનનો ઉત્કૃષ્ટ ઉપદેશ મલ્યો, તેઓશ્રીના પ્રવચનોના રંગે રંગાઈને સાથે સાથે અધ્યાત્મ રસથી ભરપૂર અને ભેદજ્ઞાનથી ભરેલા ભજનોને રમેશભાઈ (કમલ) ભક્તિરસથી રેલાવતા ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી પણ ડોલતા અને મુમુક્ષુઓ આનંદિત થતાં. પૂજ્ય ગુરુદેવશ્રીના સ્વર્ગવાસ બાદ પણ પૂજ્ય કૃપાળુ ગુરુદેવશ્રીનાં ધર્મસુપુત્ર શ્રી લાલચંદભાઈ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, જામનગરના નિમંત્રણને સ્વીકારી વારંવાર પધારતા જેથી અમારી તત્ત્વ જિજ્ઞાસા વૃદ્ધિગત થઈ છે. શુદ્ધાત્મવેદી પૂજ્યભાઈશ્રી લાલચંદભાઈની અધ્યાત્મરસથી ભરપૂર, ભેદજ્ઞાનના મંત્રોથી ભરેલી વાણી જેમાં નિજ શુદ્ધાત્માનું મુળ સ્વરૂપ અને તેને અનુભવવાની વિધિની પરાકાષ્ટારૂપ અમૃતમયી પ્રવચનોનો તથા સુક્ષ્મ તલસ્પર્શી તત્ત્વચર્ચાના સમાગમ માટે કુમારી સંધ્યાબેન તથા નિલમબેન શિકોહાબાદથી રાજકોટમાં કાયમી રહેવા લાગ્યા. અમારા આમંત્રણને સ્વીકારી જ્યારે સર્વ પ્રથમ કુ. સંધ્યાબેન જામનગર પર્યાય પોતાના પટકારકથી સ્વયં સિદ્ધ થાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 210