________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આમાનંદ પ્રકાશ. રેની દેખરેખ પણ પ્રશંસનીય છે. નાણાંની સલામતી સાથે યોગ્ય વ્યય થાય છે તે રિપોર્ટ ઉપરથી જણાય છે. પ્રકાશકોએ બાકી રહેલા જીર્ણોદ્ધાર સમાર કામ માટે પૈસાની કરેલી માંગણીનો સ્વીકાર જૈન સમાજ બંધુઓએ જલદી ઉપાડી લઈ તે માટે તેમને જોઈતાં નાણાં આપી, આ પરમ પવિત્ર તીર્થનું સંપૂર્ણ ઉદ્ધાર-સમારકામ હવે જલદી થઈ જાય તેમ વિનંતિ કરીએ છીએ.
શેઠ પ્રેમચંદ રતનજીને સ્વર્ગવાસ. માત્ર ત્રણ દિવસની બિમારી ભોગવી, પચાસ વર્ષની ઉમરે આ માસની સુદ ૪ શનિવારના રોજ બંધુ શ્રી પ્રેમચંદભાઈ તેમના જૂના નિવાસ વાળુકડ ગામે પંચત્વ પામ્યા છે. શ્રી પ્રેમચંદ ભાઈ શ્રદ્ધાળુ, ધર્મનિષ્ઠ, સરલહૃદયી, મિલનસાર અને તેમના પિતા શેઠ રતનજીભાઈના પગલે ચાલનાર હતા. તેમના પિતાના સ્વર્ગવાસ પછી શારીરિક સ્થિતિ જોઈએ તેવી સારી ન રહેવાથી માત્ર નિવૃત્તિ અને આશાઓસ લેવા તેમજ શાંતિ ભેગવવા માટે વાલુકડ કાયમ માટે રહેવા જતાં ગ્રામ્ય જીવન શાંત રીતે ભોગવતા હતા, છતાં પણ ધાર્મિક શ્રદ્ધા પણ તેવી રહી હતી. દેહાંત સુધી તંદુરસ્તી બરાબર રહી જ નહિં અને ભાવિભાવ બળવાન હોવાથી આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગવાસ થયો છે. આખી જિંદગી સરલ, શાંતિમય શ્રદ્ધાળુ જીવન જીવ્યા હતા. તેમના પિતાના આરંભેલા કાર્યોમાં યાત્રાળુઓને રાહત નિમિત્તે શહેર ધર્મશાળા, કેળવણીના ઉત્તેજનાથે જન ડગ, વાલુકડ જિનાલયની સંભાળ વગેરે કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ ચાલુ રાખેલી હતી. તેમના સ્વર્ગવાસથી તેમની જ્ઞાતિને અને જૈન સંઘમાં અને આ સભાના સુમારે પચીસ વર્ષથી સભાસદ હોવાથી આ સભાને એક લાયક જૈન નરરત્નની ખોટ પડી છે. પોતાની પાછળ મુકી ગયેલા બે સ્ત્રીઓ, બે પુત્રીઓ અને એક ચાર વર્ષનો પુત્રને દિલાસે દેવા સાથે શ્રી પ્રેમચંદભાઈના પવિત્ર આત્માને અખંડ શાંતિ પ્રાપ્ત થાઓ તેમ પરમાત્માની પ્રાર્થના કરીએ છીએ.
For Private And Personal Use Only