Book Title: Anchalgacchiya Pratishtha Lekho Part 01 and 02
Author(s): Parshwa
Publisher: Akhil Bharat Anchalgaccha Vidhipaksha Shwetambar Jain Sangh

View full book text
Previous | Next

Page 286
________________ २३९ પ્રાઉન ટેસ્ટ સાયરી' વગેરે સંસ્થાઓના સ્થાપક તથા જેન શાસ્ત્રોના ધુરંધર વિદ્વાન પં. બેલાણું તા. ર૭-૧૧-૬૮ ના પત્રમાં જણાવે છે અંચલગચ્છ–દિગ્દર્શન પુસ્તકની તમારી ભેટ પ્રસન્નતા અને આભારપૂર્વક સ્વીકારું છું. પુસ્તક લખવામાં ઐતિહાસિક સંશોધન અને પરિશ્રમ ઘણું કર્યા છે. બધા આચાર્યોને પરિચય પણ આપે છે એ ઉત્તમ થયું છે. જૈન ધર્મના બધા આચાર્યોને આવી પદ્ધતિનો કમસર ઇતિહાસ લખાય એ જરૂરી છે. તેને માટે આ પુસ્તક માર્ગદર્શનરૂપે છે? ૮૬ ગોલ્ફ લીક એરીઆ, ) ન્યુ દિલહી ૩ | –પં. ફતેચંદ બેલાણી જૈન મૂર્તિવિધાન શાસ્ત્રના અપક, જૈન વિદ્યા તથા કળાના પ્રમાણભૂત વિદાન ડો. ઉમાકાન્ત શાહ તા. ૧૦-૧૦-૬૮ ના પત્રમાં જણાવે છે– આપના તરફથી “અંચલગચ્છ–દિગ્દર્શન” એ પુસ્તક ભેટ મળ્યું તે માટે ઘણે આભારી છું. પુસ્તક ઘણું જ ઉપયોગી છે અને આવા પ્રકાશન માટે તમને ધન્યવાદ ઘટે છે. તમારા પ્રકાશન, લેખની ખબર મને આપતા રહેશે... તમારા પુસ્તકો મને ઘણા ઉપયોગી છે...” શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરી, | પિસ્ટ બોકસ નં. ૭૫, વડોદરા | –ડૉ. ઉમાકાન્ત પ્રેમાનન્દ શાહ, ઉપ–નિયામક, પ્રાશ્ય વિદ્યા મંદિર. જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી અને સાહિત્યકાર તથા પત્રકારશ્રી રતિલાલ દીપચંદ દેસાઈ તા. ૨૮-૯-૬૮ ના પત્રમાં જણાવેલ છે – .......“અંચલગચ્છ-દિગ્દર્શન' પુસ્તકની કીંમતી ભેટ મળી, તમે સંભારીને પુસ્તક મે કહ્યું તે માટે આભારી છું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ મહોત્સવ ગ્રન્થ માટે લેખ મોકલવા તમને વારંવાર લખવા છતાં તમે લેખ ન મોકલાવ્યો, ત્યારે જ મને લાગેલું કે તમે એકાગ્રતાપૂર્વક કોઈ સ્વાધ્યાયના આત્યંતર તપમાં લાગ્યા છે. તમારા એ તપનું ફળ જોઈ બહુ આનંદ થયો. આ માટે તમને હાર્દિક અભિનંદન આપું છું.. માદલપુર, દરજીને વાસ, એલિસબ્રિજ, અમદાવાદ-૬ ] -રનિલાલ દીપચંદ દેશાઇ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288