Book Title: Ambad Charitra
Author(s): Jain Sansti Vanchanmala
Publisher: Jain Sansti Vanchanmala

View full book text
Previous | Next

Page 147
________________ (143) 1 . તે પછી અંબડ સુલસાની અનુમતિ માગી પિતાના ઘર તરફ વિદાય થયે. કમે ક્રમે તે સભ્ય જિનધર્મની આરાધના કરતો પોતાના આત્માને નિર્મળ કરવા લાગ્ય–અને છેવટે વીશ સ્થાનકની આરાધના કરી તીર્થંકર નામકર્મ પણ ઉપાર્જન કર્યું. અંબડપુત્ર-કુરબકે વિક્રમસિંહને ઉદ્દેશી કહેવા માંડયું:“પછી મારા પિતાએ રાજ્ય–પાટ, ધન-મિરકત વિગેરે મને સંપી દીધા અને વૈરાગ્યમય ચિત્ત વડે તેઓ જનધર્મની આરાધના કરવામાં તલ્લીન થયા. છેવટે આરાધનાપૂર્વક અનશન કરી, સુખ-સમાધિએ અમરભૂમિમાં જઇ વસ્યા. મારા પિતાની પાછળ, તેમના વિરહથી ખિન્ન થયેલી તેમની બત્રીસ સ્ત્રીઓ પણ અનશન કરી, સમાધિપૂર્વક કાળધર્મ પામી, વ્યંતરીરૂપે ઉત્પન્ન થઈ. આજે પણ મેહને લીધે એજ સ્ત્રીઓ પેલા ભંડારની આસપાસ-સિંહાસન ઉપર પાંચાલિકારૂપે ચોકીપહેરો ભરી રહી છે. મારા પાપકર્મના યોગે મારૂં બધું રાજ્ય મારા શત્રુઓએ આજે પડાવી લીધું છે. અંબડ જેવા એક સમર્થ અને અદભૂત પુરૂષનો પુત્ર હું, આજે લગભગ નિર્ધન જેવો બની ગયે છું, એ નિર્ધનતા દૂર કરવાને મને એક જ માર્ગ સૂઝ. મને લાગ્યું કે જે પેલે ભંડાર ઉઘાડું તો મારી કમનસીબી કાચી ઘડીમાં ઉડી જાય. પછી જે ધ્યાનકુંડલી પાસે જઈને ઉભું રહ્યો અને ' સહેજ ઉઘાડવા લાગ્યું કે તે જ ક્ષણે મારી માતા ચંદ્રાવતીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157