Book Title: Amari Ahimsa
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ અમારિ–અહિંસા ૧૧૭ અગાડે છે કે સુધારે છે. પ્રસાદ્ર રાજાષનું દૃષ્ટાંત જૈન આલમને સુવિદિત છે. તેમણે પેાતાના જ વિચારવડે દેવગતિને યાગ્ય કર્મ ખાંધ્યું, નરકગતિને ચોગ્ય કર્મ બાંધ્યું અને કેવળ પણ થયા, માટે મનુષ્યના બંધ અને મેાક્ષનું કારણ તેના વિચારે છે. વિચાર એ તેના વચનેાના તથા કાર્યાના પિતા છે. દાન, શીલ, અને તપ એ ત્રણેની મહત્તા તેની પાછળ રહેલા ભાવ-વિચાર ઉપર રહેલી છે. આપણા સમાજમાં પણ અનેક પ્રકારે હિંસા થઈ રહેલી છે. જો કે આપણે કાઈ ને શસ્ત્રથી મારતા નથી, પણ બાળલગ્ન, કન્યાવિક્રય, ગૃહલગ્ન, એક પત્ની હાવા છતાં ખીજાં લગ્ન કરવું–આ બધાં રૂઢિનાં શસ્ત્ર છે. તે સમાજના જીવનને, અને સમાજમાં રહેલી વ્યક્તિઓનાં જીવનને કચરી નાખે છે, દાબી રાખે છે, રીખાવી રીબાવીને મારે છે, તે કાઈવાર તા સાઈના છરા કરતાં પણ ભારે દુઃખ ઉત્પન્ન કરે છે. સમાજમાં રહેલા ક્રૂર રીવાજોને આપણે ફેરવાવીએ નહિ, પણ તે સંબંધી આંખમીચામણાં કરી તે રીવાજોને ચાલવા દઈએ તેા આપણે પણ હિંસામાં ભાગ લીધેા છે. Inaction in an act of mercy is an act in a deadly sin યાના કામમાં છતી શક્તિએ ભાગ ન લેવા તે નિર્દયતાના કાર્યમાં ભાગ લીધા સમાન છે. ધાર્મિકહિંસા, યજ્ઞનિમિત્તે પશુના વધ કરવા તે ધાર્મિકહિંસાના એક પ્રકાર છે. બીજા ધર્મોની નિંદા કરવી, ખીજા ૫થાપર આક્ષેપે કરવા, એ પણ ધાર્મિક હિંસા. ધણા ખરા ધાર્મિક મનુષ્યા પેાતાના સત્યસિદ્ધાંતા પ્રતિપાદન કરવાનું રચનાત્મક કાર્ય કરવાને બદલે બીજા પથ કે ધર્મોના દોષો નિરૂપણ કરવાનું ખંડનાત્મક કા કરે છે, અને આમ કરવા જતાં સિદ્ધાંતાની ચર્ચા દૂર રાખી જુદા વિચારાને માનનારાઓ ઉપર અંગત આક્ષેપો કરે છે; આ પણ એક પ્રકારની પ્રબલ હિંસા છે. કાઈપણ ધર્મનું અર્ધું વાક્ય કે અર્ધી શ્લાક લઈને, તેનું દૂષણુ ખતાવવું અને તેનું ખંડન કરવું એ મહાન દોષ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3