Book Title: Agam Deep 13 Raippaseniyam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ સૂત્ર-૪૨ 47 સમાતા નથી. કેટલાકો નાચવા મંડ્યા, તાંડવ કરવા લાગ્યા, હોંકાર કરવા લાગ્યા, બાહુઓ અફળાવવા લાગ્યા, હણહણવા માંડ્યા, હાથીની પેઠે ચીસો પાડવા લાગ્યા, કેટલાક ઊછળે છે, સિંહનાદ કરે છે, ઊંચે ઊડે છે, નીચે પડે છે, પગ પછાડે છે, ગાજે છે, ઝબકે છે, વરસે છે, પોતપોતાનાં નામો કહી સંભળાવે છે, તેથી તપે છે, કેટલાક મોટેથી યૂયૂ કરે છે અને કેટલાકો પોતાના હાથમાં “પધાણાં, કળશો અને કમળો વગેરે રાખી આમતેમ દોડાદોડી કરે છે. એ રીતે તે દરેક દેવો પોતાના સ્વામીના અભિષેકની ખુશાલી માણે છે. અભિષેક થઈ રહ્યા બાદ તે દરેક દેવો હાથ જોડીને બોલ્યા કે હે નંદ! તારો જય થાઓ, હે ભદ્ર! તારો જય થાઓ. જે અજિત છે તેને તું જિત અને જેજિત છે તેની તું રક્ષા કરી દેવામાં જેમ ઈદ્ર, તારાઓમાં ચંદ્ર, અસુરોમાં અમર, નાગોમાં ધરણ અને મનુષ્યોમાં ભારતની પેઠે તું અમારી વચ્ચે રહે. વળી, ઘણાં પલ્યોપમો, ઘણાં સાગરોપમો, ઘણાં પલ્યોપમાં અને સાગરોપમો સુધી અમારા ઉપર અને આ આખા સૂયભવિમાન ઉપર આધિપત્ય ભોગવ અને અમને બધાને સુરક્ષિત રાખતો તું અહીં આનંદથી વિહ. આમ બોલીને તે બધાં દેવદેવીઓએ જય જય નાદ કર્યો અને એ રીતે સૂર્યાભદેવનો ઈંદ્રાભિષેક પૂરો થયો. અભિષેક પૂરો થતાં તે સૂય ભદેવ, ત્યાંથી પૂર્વને બારણે નીકળી અલંકારસભાને પ્રદક્ષિણા કરતો તેમાં તેજ બારણે પેઠો અને ત્યાંના મુખ્ય સિંહાસને બેઠો. [43 પછી તેના સામાનિક સભ્યદેવોએ તેની સમક્ષ ત્યાં બધી અલંકાર સામગ્રી ઉપસ્થિત કરી. પહેલાં તો ન્હાએલો હોવાથી તેણે સુકોમળ અંગલુછણા દ્વારા પોતાનાં અંગો ઉડ્યાં, તેના ઉપર સરસ ગોશીષચંદનનો લેપ કર્યો અને ત્યારબાદ એકજ કે ઊડી શકે તેવું ઘોડાની લાળ જેવું નરમ. સુંદર વર્ણ અને અને સ્પર્શવાળું, અને જેને છેડે સોનું જડેલું છે તેવું સ્ફટિક જેવું ઉજળું ધોળું દેવદૂષ્ય યુગલ તેણે પહેર્યું. પછી હાર, અધહાર, એકાવળ, મોતીની માળ, રત્નાવળ, અંગદ, કેયૂર,કડાં, બેરખાં, કણદોરો, દસે આંગળીએ વેઢ વીંટીઓ, છાતી ઉપર દોરો, માદળિયું, કંઠી, ઝૂમણું, કાને કુંડળ અને માથે ચૂડામણિ મુગટ વગેરે આભરણ પહેરી પોતાના દેહને એ સૂયભિદેવે સજાવ્યો. ગુંથેલી વાટેલી ભરેલી અને એક બીજાના નાળથી જોડેલી એવી ચારે પ્રકારની માળાઓથી પોતાને કલ્પવૃક્ષની પેઠે સુશોભિત કરતાં તેણે દિવ્ય પુષ્પ માળ પણ પહેરી. એ રીતે અલંકૃત થએલો તે સૂર્યાભિદેવ, વ્યવસાયસભાને પ્રદક્ષિણા કરતો તેમાં આવ્યો અને ત્યાં સિંહાસનારુઢ થયો. પછી તો તેના સામાનિક સભ્યોએ તેની સમક્ષ ત્યાંના પુસ્તકરત્નને મૂકહ્યું, તેણે તેને ઉઘાડી વાંચી તેમાંથી ધાર્મિક વ્યવસાયને લગતી સમજુતી મેળવી લીધી. એ ક્રમ પૂરો થયા બાદ તે, ત્યાંથી પૂર્વદ્વારે નીકળી નંદા પુષ્કરિણીએ ગયો. ત્યાં ગોઠવેલા સોપાન દ્વારા પુષ્કરિણીમાં ઊતરી તેણે પોતાના હાથપગ પખાળ્યા, પછી ચોકખો પરમશચિભૂત થઈ હાથીની મુખાકૃતિની જેવી પાણીથી ભરેલી એક મોટી ધોળી રજતમય ઝારી અને પુષ્કરિણીનાં કમળો વગેરે લઈ ત્યાંથી તે સિદ્ધાવતન તરફ જવા નીકળ્યો. [૪૪]સિદ્ધાયતનમાં જ્યાં દેવછંદ છે અને જે બાજાએ જિનપ્રતિમાઓ છે તે તરફ જઈ એ સૂર્યાભદેવે તેમને પ્રણામ કર્યા. પછી તેમને મોરપીંછથી પૂંજી, સુગંધી પાણીથી પખાળી સરસ ગોશીષચંદનનો લેપ કર્યો, સુવાસિત અંગલૂછણાથી તેમને લૂછી અને પછી તે પ્રતિમાઓને અક્ષત એવાં દેવદૂષ્ય યુગલ પહેરાવ્યાં. ત્યારબાદ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64