Book Title: Agam Deep 04 Samavo Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ Y12 સમવાય-૩૩ અશનાદિ ચાર પ્રકારના આહાર ગુરૂજનને બતાવ્યા પહેલાં જે તે શૈક્ષ બીજા કોઈ નાના સાધુને બતાવે તો આશાતના દોષ લાગે. અશનાદિ ચાર પ્રકારના આહાર માટે ગુરૂને નિમંત્રણ કર્યા પહેલાં બીજા નાનાને નિમંત્રણ કરે તો આશાતના દોષ લાગે. અશનાદિ ચાર પ્રકારનો આહાર ગુરૂને પુછ્યા વિના પોતાની ઈચ્છા પ્રમાણે અન્ય સાધુઓને અધિક જલ્દી આપે તો આશાતના દોષ લાગે. ગુરૂની સાથે આહાર કરતા મનોજ્ઞ, સરસ, ઉત્તમ, સ્નિગ્ધ, રૂક્ષ આદિ આહારને જલ્દી જલ્દી ખાઈ જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તે ગુરૂ બોલાવતા હોય તો પણ ન સાંભળે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેના બોલાવવા પર પોતાના સ્થાનથી જ સાંભળે નિકટ ન જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે. તેમના બોલાવવા પર વિનય રહિત ઉત્તર આપે તો આશાતના દોષ લાગે. શૈક્ષ, રાત્નિકને તું કહે તો આશાતના દોષ લાગે. ગુરૂપ્રતિ અનર્ગલ વચન બોલે તો આશાતના દોષ લાગે. શેક્ષ, રાત્વિક સામે તેમના શબ્દોથી જ ઉત્તર આપે-તિરસ્કાર યુક્ત બોલે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની ધર્મકથામાં “આમ કહો એમ કહે તો આશાતના દોષ લાગે. ધર્મકથા કહેનાર ગુરૂની ‘તમને સ્મરણ નથી એમ કહી ભૂલ કાઢે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની કથામાં પ્રસન્ન ન રહે અથવા પોતે કહેવા લાગે તો આશાતના. દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન તેમની ધર્મ પરિષદનો ભંગ કરે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે તેમની ધર્મપરિષદમાં બાધા ઉપસ્થિત કરે તો આશાતના દોષ લાગે. સત્મિક કથા કહેતા હોય અને પરિષદ ઉઠે નહિ, છિન્નભિન્ન થાય નહિ, વિખેરાઈ જાય નહિ તો પણ તેજ કથા બીજી વાર-ત્રીજી વાર કહે તો આશાતના દોષ લાગે. ગુરૂના શય્યા સંસ્તારકનો પગથી સ્પર્શ થઈ જવા પર હાથ જોડી ક્ષમા યાચના કર્યા વગર જાય તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમના આસન પર ઉભો રહે, બેસે અથવા સુવે તો આશાતના દોષ લાગે. જ્ઞાનાદિક ગુણોમાં જે અધિક ગુરૂજન છે, તેમના આસનથી ઉંચા અથવા બરાબર આસન પર ઉભો રહે, બેસે અથવા સુવે તો આશાતના દોષ લાગે. અમરેન્દ્રની ચમચંચી રાજધાનીના દરેક દરવાજાની બહાર તેત્રીસ-તેત્રીસ ભૌમનગર છે. મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર તેત્રીસ હજાર યોજનથી થોડો વધારે છે. સૂર્ય બાહ્ય અંતિમ મંડલથી જ્યારે પૂર્વ તૃતીય મંડલમાં ગતિ કરે છે ત્યારે જેબૂદ્વીપમાં રહેલા મનુષ્યને કંઈક ઓછા તેત્રીસ હજાર યોજન દુરથી સૂર્યદર્શન થાય છે. આ રત્નપ્રભા પથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. તમસ્તભ પ્રભા પૃથ્વીના કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ નારકાવાસમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. અપ્રતિષ્ઠાન નારકાવાસમાં નરયિકોની અજઘન્ય-અનુકૂટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેત્રીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92