Book Title: Agam 23 Upang 12 Vrashnidasha Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 69
________________ ૧૬૦ ] શ્રી નિરયાવલિકા સૂત્ર વિષયોને સહન કરવા આદિ મર્યાદાનો સ્વીકાર કરશે, તે લક્ષ્યને સિદ્ધ કરશે અને આરાધના કરીને અંતિમ શ્વાસોશ્વાસ છોડી સિદ્ધ થશે યાવત્ સર્વ દુઃખોનો અંત કરશે. અધ્યયન ઉપસંહાર :२६ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं वण्हिदसाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते । -ત્તિ વેમા ભાવાર્થ :- આ પ્રમાણે હે જંબૂ! મુક્તિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશાના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. શેષ અગિયાર અધ્યયન :२७ एवं सेसा वि एक्कारस अज्झयणा णेयव्वा अहीणमइरित्तं । (एक्कारससु વિ ાહ અનુસાર ...) -તિ વેમ ! ભાવાર્થ :- આ જ પ્રમાણે શેષ અગિયાર અધ્યયનો પણ ન્યૂનાધિકતા રહિત, પરિપૂર્ણ રૂપે જાણવા. (અગિયાર અધ્યયયનોનું વિશેષ વિવરણ સંગ્રહણીગાથા અનુસાર જાણવું) વિવેચન : આ વર્ગના બાર અધ્યયનમાંથી એક નિષધકુમારનું વર્ણન વિસ્તૃત અને શેષ અગિયાર આત્માઓનું વર્ણન સંક્ષિપ્ત છે. તેમાં નિષધકુમારની જેમ શેષ અધ્યયનોને જાણવાનો નિર્દેશ કર્યો છે. તેથી તે સર્વે નિષધકુમારના ભાઈ અને બલદેવ રાજા અને રેવતી રાણીના પુત્ર હોય તેમ જણાય છે. કારણ કે સૂત્રમાં અતિદેશ કરતાં નવરં વગેરે વિશેષતા સૂચક કોઈ શબ્દ નથી. આ રીતે વૃષ્ણિ દશા નામના આ વર્ગમાં વૃષ્ણિ કુલમાં ઉત્પન્ન બારે કુમારોનું જ વર્ણન હોય તેમ માની શકાય છે. સૂત્રમાં સંગ્રહણી ગાથામાંથી જાણવાનો નિર્દેશ છે પરંતુ સંગ્રહણી ગાથાઓ અનુપલબ્ધ છે. આ સૂત્રોક્ત પ્રત્યેક ચરિત્ર નાયકોના શ્રાવક વ્રત ધારણ, સંયમ ગ્રહણ, અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ વગેરે વર્ણન એક સમાન હોવાથી તેનું સંક્ષિપ્ત કથન કર્યું છે. આ વર્ગમાં દ્વારિકા નગરી, રેવતક પર્વત, નંદનવન ઉદ્યાન, સુરપ્રિય યક્ષાયતન અને કૃષ્ણ વાસુદેવની ઋદ્ધિનું વર્ણન વિશેષ છે. વર્ગનો ઉપસંહાર :२८ एवं खलु जंबू समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं वण्हिदसाणं दुवालस अज्झयणाणं अयमढे पण्णत्ते । - त्ति बेमि ।

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83