Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રાખતી વ્યક્તિઓને અમુક રકમ દર મહિને મોકલવાની જ રહે છે અને તેની મનીઓર્ડરની લિપ સામેજ જમવાને માસિક પાસ આપવામાં આવે છે. પંદર રૂપિયામાં જમાડવાને હેતુ-જમનારના કુટુમ્બીજને માટે બચત કરવાનું છે. આ ભેજનાલયને ઘણું ભાઈઓ લાભ લઈ રહ્યા છે. અનાજની આવી કારમી મેંઘવારીમાં આ સંસ્થા જ્ઞાતીબંધુઓ માટે આશીર્વાદરૂપ બની છે. આ સંસ્થામાં શ્રી રામજીભાઈએ ઘણું મટે ફાળે આપે છે.
(ઘ) શ્રી સ્થાનકવાસી જૈન ધાર્મિક શિક્ષણ સંઘ-રાજકોટ-શ્રી ચતુર્વિધ સંઘના અભ્યદય માટે તાજેતરમાં જ એક લાખ રૂપિયાની ઉદાર સખાવત આપી છે, ત્યારબાદ આ સંસ્થાએ અસાધારણ પ્રગતિ કરી છે.
(ચ) રાજકેટની પાંજરાપોળમાં દુષ્કાળના વરમાં પચીસ કે વીસ હજાર અને જરૂર પડે ત્યારે તે કરતા પણ વધારે રકમે આપી, જીવદયાનું સુંદર કામ કરી રહ્યા છે અને અબોલ જીના આશિર્વાદ મેળવી રહ્યા છે.
કેઈપણ ગામની પાંજરાપોળના અગર ગમે તે ધાર્મિક સંસ્થાઓના ફાળા માટે આવેલા ડેપ્યુટેશને શ્રી રામજીભાઈના દ્વારેથી ખાલી હાથે પાછા ગયા નથી.
(છ) જ્ઞાતિ, જાતિ ધર્મના ભેદભાવ વગર ગામડાઓમાં વસતા ગરીબ કુટઓ માટે દર શિયાળામાં ગરમ ધાબળાઓ અને સુતરાઉ કપડાઓ સ્ત્રી પુરુષો અને બાળકો માટે કામ આવે તેવા તૈયાર કરાવી વર્ષોથી આપતા આવ્યા છે.
(જ) ચીચપેકલીની જૈન સમાજ નીસસ્તા ભાડાની ચાલમાં તાજેતરમાંજ એક લાખ રૂપિયા આપ્યા છે.
(ટ) કેટલીક સંસ્થાઓના અટકી પડેલા વિકાસને, પિતાને દાન પ્રવાહ વરાવી ફરીથી ગતીમાં મૂકી છે–નવપલ્લવીત બનાવી છે.
(8) શ્રી રામજીભાઈએ જાહેર સખાવતે કરી છે એવું કંઈ નથી, પરંતુ તેમના ગુસદાને–પિતાને બીજે હાથ પણ જાણે નહિ એ રીતે મોટી સંખ્યામાં આપ્યા છે અને હજુ તે ચાલુ જ રહ્યા છે.
જૈન ધર્મનું રહસ્ય સમાજ સારી રીતે સમજી શકે એ ઉદ્દેશથી પૂ. સાધુ-સાધ્વીજીના વ્યાખ્યાઓનું પ્રકાશન કરાવે છે અને સૌને સુલભ્ય બને તેવી રીતે માત્ર નામને દર રાખી વેચાણ કરાવે છે.
(8) પિતે ટ્રસ્ટ કર્યું છે. શ્રી કડવીબાઈ કન્યા વિદ્યાલય, શ્રી વિરાણી વિવિધલક્ષી હાઈસ્કુલ, શ્રી વિરાણી દવાખાનું, શ્રી રાજકેટ મોટા સંઘની પૌષધશાળાને વ્યાખ્યાન હોલ અને ગામડાઓમાં બંધાવેલ ઉપાશ્રય, ગૌશાળા, શ્રી વીરાણી ભાઈઓની ઉદાર સખાવત છે. જેમાં શ્રી રામજી. ભાઈને પણ હિસ્સો છે.
શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૧