Book Title: Acharang Sutram Part 01 Author(s): Sudharmaswami, Jinhansasuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 8
________________ હૈં ॥ પ્રસ્તુત પ્રથમ ભાગમાં જ આચારાંગ/આચારાંગની ટીકાઓ, પ્રીષિકાકાર શ્રીજિનડ’સસૂરિનું જીવનચરિત્ર તેમજ ખીજા અનેક પરિશિષ્ટો આપવાની અમારી ગણતરી હતી, પરન્તુ ધાર્યા કરતા કદ વધુ થઈ ગયુ` હાવાથી હવે બીજા ભાગમાં આ બધું વિસ્તારથી આપવાના અમારા વિચાર છે. અહીં તા અમે પ્રસ્તુત ગ્રંથનુ સંશાધન જે હસ્તપ્રતો અને મુદ્રિત થાના આધારે કર્યુ છે તેની વિગતવાર માહિતી તથા અમારી સ`પાદન પદ્ધત્તિ જણાવશું. આ સપાદનમાં આધારભૂત આચારાંગસૂત્રની પ્રદીપિકાની હસ્તલિખિત પ્રતિ (૧) પ।.—શ્રી હેમચ'દ્રાચાય જૈન જ્ઞાનભડાર-પાટણ-ની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૧૨૪. ભંડારના કેટલેગ નંબર ૬૮૯૪ છે. પ્રત્યેક પત્રમાં લગભગ ૧૯ ૫ક્તિઓ છે અને પ્રત્યેક પક્તિમાં ૬૯ અક્ષરો છે. દરેક પત્રની મધ્યમાં રકત સ્થાન છે. પ્રતિ શુદ્ધ પ્રાયઃ છે. મુખ્યતયા આ પ્રતિ ઉપરથી જ આ ગ્રંથની વાચના તૈયાર કરી છે. (ર) દે.— શ્રી હેમચંદ્રાચા` જૈન જ્ઞાનભંડાર-પાટણની આ પ્રતિ છે. પત્ર ૧ થી ૧૮૩. ભંડારના કેટલેગ નંબર ૧૦૪૦૯ છે. પ્રત્યેક પત્રમાં લગભગ ૧૫ ૫તિ છે અને પ્રત્યેક પ"ક્તિમાં પર થી ૫૫ અક્ષરા છે. પ્રત્યેક પત્રની મધ્યમાં તથા અને બાજુમાં કલાત્મક સુશાલના છે. ગ્રંથને અંતે ટીકાકારની પ્રશસ્તિ છે, જે વા. પ્રતિમાં નથી. પા. પ્રતિમાં જ્યાં પાઠ પડી ગયા હાય, તેમજ અશુદ્ધ પાઠ હોય ત્યાં અમે હૈં. પ્રતિના ઉપયોગ કર્યાં છે. આ સિવાય મુદ્રિત પ્રદીષિકાના પણ આ ગ્રંથના સ શેાધન અને સંપાદન વખતે ઉપયાગ કર્યાં છે. જેની માહિતી નીચે મુજ્બ છે. ॥ 4 ॥Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 496