Book Title: Aaimutta Muni
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ સાધુઓએ આ જોયું અને કહ્યું, “ઓ અઇમુત્તા, તું ક્યાં જાય છે? એ જગ્યા તો કેવલી મુનિ માટે છે. માટે જ્યાં બીજા સાધુઓ બેઠા છે ત્યાં જઈને બેસો.” મહાવીરસ્વામીએ તરત જ કહ્યું, “સાધુઓ, કેવલી મુનિનું તમે અપમાન ન કરો. અઇમુત્તા મુનિ હવે કોઈ સામાન્ય સાધુ નથી. જ્યારે ઇરિયાવહીયા કરતા હતા ત્યારે જ તેમના ઘાતી કર્મોનો નાશ થયો છે અને તેઓ કેવલી બન્યા છે.” સાધુઓને તેમની ભૂલ સમજાઈ તેમને વંદન કરવા લાગ્યા. અને વિચાર્યું “કેવળજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો.” અંતે બાલમુનિ અઇમુત્તાને ભવોભવના ફેરામાંથી મુક્તિ મળી. જૈન ધ્રર્મ સમજ્યા અને તેના પાલન માટે ઉંમરની કોઈ મર્યાદા નથી. પણ તેને માટે સાચી શ્રદ્ધા, સમજ અને જૈનધર્મના સિદ્ધાંતો સમજવા અને અમલમાં મૂકવા માટેના ઘીરજ મહત્વના છે. આપણે ભૂલો કરૂએ (-એ અને ખોટાં કર્યા બાંધીએ (એ. તે ભૂલો પછી સહેતુક હોય અજાણતાં થતી હોય. એ શક્ય છે કે કમોને દલીધે અજાણતાં થઍટલી ભૂલોને સાચા અને દયપૂર્વકના પ્રાયશ્ચિતથી સુધાણ શકીએ. ગમે તેમ પણ પાછળથી પ્રાયશ્ચિત કરી ભૂલો સુધારશે તેમ માનીને કોઈએ જાણી જોઈને સહેતુક ભૂલો ન કરવી જોઈએ. સ્માનું પ્રાયશ્ચિત વ્યર્થ છે. [100 જૈન કથા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4