Book Title: Aagamna prakhar vyaakhyataao
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 9
________________ દ્વારા વિવેચિત કરેલા પારિભાષિક શબ્દોના અર્થના બાહુલ્યને જે અભિવ્યક્ત કરે તે ભાષ્ય.” પણ આ અર્થ સર્વથા સંપૂર્ણ નથી. કેમ કે ભાષ્યોની રચના સૂત્ર ઉપર સીધી પણ થયેલી છે. વળી, વર્તમાન કાળે નિર્યુક્તિ કરતાં ભાષ્યો વધુ સંખ્યામાં ઉપલબ્ધ છે. ભાષ્યો પણ પ્રાકૃત-પદ્યમય શૈલીમાં રચાયા હોય છે. વિવરણ સાહિત્યનો ત્રીજો તબક્કો ચૂણિનો આવે છે. ચૂણિ એ નિર્યુક્તિ અને ભાષ્યનું વિસ્તૃત વિવરણ સ્વરૂપ છે. વળી, તેની રજૂઆત ગદ્યાત્મક સ્વરૂપે થયેલી છે, જેથી તે પદ્ય વિવરણો કરતાં તે સમજવા સરળ બને છે. તદુપરાંત, મુખ્યતાએ પ્રાકૃત ભાષામાં જ ચૂણિની રચના થતી હોવા છતાં, તેમાં કિંચિત સંસ્કૃતનું મિશ્રણ હોય છે. વૃત્તિ એ વિવરણ સાહિત્યનો ચોથો વિસામો છે. ચૂણિ સાહિત્ય સાથે ઘણી જ સામ્યતા ધરાવતા આ વિવરણમાં શાબ્દિક અને પદાર્થ બંનેની બહુલતા ઉમેરાયેલી હોવાથી તેમ જ સંસ્કૃત ભાષામાં ગદ્યાત્મક શૈલીમાં રજૂઆત પામેલ હોવાથી તેનો સ્વીકાર સહજ બન્યો છે. વળી, વર્તમાનમાં આગમ વિવરણ સાહિત્યમાં વૃત્તિની જ મુખ્યતા છે. ઉક્ત વિવરણ સાહિત્ય ઉપરાંત પણ ટિપ્પણક અવચેરી, અવચૂણિ, સંગ્રહણી, દીપિકા ઇત્યાદિ નામોથી પણ પછી પછીના આચાર્ય ભગવંતોએ આગમનું વિવરણ-સાહિત્ય સર્જેલું છે. “આગમના પ્રખર વ્યાખ્યાતાઓ” [9] મુનિ દીપરત્નસાગર

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28