________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
| ૭૮૦).
એમાં ઉપર કહેલા લક્ષણવાળા ઉત્કૃષ્ટ પાંચ જોઈએ.
ઉપર જે ૩-૪-૫ સંખ્યા બતાવી, તે ત્યારે જ સમજવી કે તે પલ્લા જો ઉત્કૃષ્ટ હોય. હવે પછી એ મધ્યમ પલ્લાઓનું પ્રમાણ કહીશ. જે પલ્લાઓ સારા નહિ અને ખરાબ નહિ એ મધ્યમ પલ્લા કહેવાય. ઉનાળામાં મધ્યમપલ્લા ચાર લેવાય. તે પલ્લા થોડાક જીર્ણ હોય છે. શિયાળામાં મધ્યમપલ્લા પાંચ લેવાય. ચોમાસામાં મધ્યમપલ્લા છ લેવાય.
આ મધ્યમપલ્લા કહ્યા કે જે પ્રધાન પણ નથી અને અપ્રધાન પણ નથી. તેમાં ગ્રીષ્મકાળ એ રુક્ષ કાળ છે. હેમન્ત એ * મધ્યમકાળ છે. ચોમાસું એ સ્નિગ્ધકાળ છે. એટલે તે તે કાળમાં પલ્લાઓની વૃદ્ધિ કહી છે.
હવે પછી જઘન્યપલ્લાઓ કહીશ.
જો પલ્લા જઘન્ય એટલે કે જીર્ણ જેવા હોય તો ઉનાળામાં પાંચ લેવા. હેમન્તમાં છ લેવા અને ચોમાસામાં જાન્યપલ્લા સાત લેવા.
આમ ઉપર કહ્યા પ્રમાણે દરેક કાળને અંતે નવા નવા પલ્લાઓ હોય. (એટલે કે સંખ્યા બદલાતી રહેતી હોય છે.) वृत्ति : इदानीमेषामेव प्रमाणप्रतिपादनायाह -
=
"e
૭૮oll
E