SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઓઘ sી નિર્યુક્તિ 'P ભાગ-૨ = || ૫૧૭ || = = = ઉત્તર : ઓઘનિર્યુક્તિ-૫૦૬ : ટીકાર્થ : જો ત્યાં સંસક્ત ભક્ત કે સંસક્ત પાનક હોય તો પછી તેજ સ્થાનથી પાછો ફરી, ફરી પાછું બીજું પાણી લે. (દ્રવ્ય શબ્દ વધુ સંગત થાય છે. કેમકે ભોજન અને પાણી બેયની ભેગી વાત ચાલે છે. એટલે દ્રવ શબ્દ પ્રમાણે ભલે પાણી અર્થ લખ્યો છે, પણ ઉપલક્ષણથી ભોજન પણ ગ્રહણ કરી લેવું.) વળી ગ્લાન વગેરેને માટે જે વસ્તુ માત્રકમાં લીધેલી હોય, તેને પાત્રામાં નાંખીને પછી અંદર પ્રવેશે. પ્રશ્ન: ગ્લાન માટે જો માત્રકમાં વહોર્યું છે, તો ગ્લાન માટે જ એ માત્રકમાં જ રાખવું જોઈએ ને ? જુદું કરવાની જરૂર " શી છે? | ઉત્તર : માત્રકમાં ગ્લાન માટે વહોરેલી વસ્તુ પાત્રકમાં નાંખી દઈને પછી ઉપાશ્રયમાં પ્રવેશવા પાછળ એ કારણ છે કે | = એ સાધુને બીજા સાધુએ કહ્યું હોય કે “ગ્લાનને માટે બીજું મળી ગયું છે.” (રસ્તામાં જ બીજા સાધુ મળ્યા હોય અને એમણે ' આ વાત કરી હોય) તો હવે ગ્લાન માટે એ વસ્તુ રાખવાની જરૂર જ નથી. અને માત્રકનો ઉપયોગ તો ગ્લાનાદિના કારણે જ કરવાનો છે. એ કારણ હવે નથી, એટલે નિષ્કારણ એ માત્રકનો ઉપયોગ કરવો ન પડે એ માટે તેમાં રહેલી વસ્તુ માત્રામાં નાંખીને ઉપાશ્રયમાં પ્રવેશે. જો વગર કારણે માત્રકનો ઉપયોગ કરાય તો સાધુ પ્રમાદી બને. આ રીતે આ સાધુ તપાસ્યા બાદ જ ભોજન પરિશુદ્ધ હોય તો ઉપાશ્રયમાં પ્રવેશે. वृत्ति : अथाशुद्धं भवति ततः परिष्ठाप्य किं करोतीत्यत आह - = in v૧૭TI
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy