SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ “આણે દર્પણની જેમ મારું અધિષ્ઠાન=ગુપ્તાંગો જોઈ લીધા. જેમ દર્પણ સ્વચ્છ હોય અને એ સ્પષ્ટ દેખાય એમ આણે મારા ગુપ્ત શ્રી ઓઘનિર્યુક્તિ અંગો સ્પષ્ટ જોઈ લીધા.” (વહેલી સવારે ગૃહસ્થ ગમે તેમ ઉધ્યો હોય, એના વસ્ત્રાદિના ઠેકાણા ન હોય... એટલે આવું બને.) ભાગ-૨ વળી આ ગૃહસ્થ સાધુના દર્શનને અમંગલ માની લે અને એટલે એ વખતે શાસનની અપભ્રાજના થાય. અથવા તો સાધુને જ કડવા વચનો સંભળાવે કે “આ બધા તો પેટ પૂરવા માટે જ દીક્ષિત થયેલા છે.” અથવા તો આવા હલકા ગૃહસ્થના ૩૨૮ w વિષયમાં આહનન થાય એટલે કે તે ગૃહસ્થ સાધુને મારી પણ દે. આમ સવારે જ ગોચરી માટે ગૃહસ્થોના ઘરોમાં પ્રવેશનારાઓને દોષો દર્શાવી દીધા. હવે જો અર્ધપ્રહર પસાર થઈ ગયા બાદ મોડેથી ભિક્ષા માટે પ્રવેશે તો પછી જો એ ગૃહસ્થ ભદ્રક હોય તો આ પ્રમાણે | જ બોલે કે આજના દિવસથી માંડીને હવે આટલી વેળા રાંધેલા ભોજનને થાય તે રીતે કરવું. (દા.ત. તેઓ સવારે સાડા આઠ ' સુધીમાં ભોજન બનાવી લેતા હોય અને સાધુ નવ વાગે જાય, તો એ નક્કી કરે કે હવે નવ વાગે જ ભોજન બની રહે એ જ! રીતે બનાવવું. જેમ અર્ધપ્રહરમાં ગોચરી જવાનો નિષેધ છે. તેમ અર્ધપ્રહર બાદ ઘણો સમય નીકળી જાય તોય ગોચરી જવાનો નિષેધ છે. બેયમાં ગરબડ થાય.) અને આ રીતે કરે તો પછી આધાકર્માદિ દોષો લાગે. અથવા ગૃહસ્થ એમ કહે કે ભલે આપણી રસોઈ વહેલી બને. પણ એ વાપર્યા પછી જે વધે તે તારે આજથી માંડીને છે. સાધુ માટે સ્થાપી રાખવું. સાધુ મોડા આવે છે તો એને વહોરાવી શકાય. - હવે જો આમ કરે તો સ્થાપના વગેરે દોષો લાગે. Gu ૩૨૮
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy