SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્ર.: હવે તિર્યંચાપાતવાળા ચંડિલના દોષને દેખાડતા કહે છે. શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ ઓઘનિર્યુક્તિ-૩૦૭ : ટીકર્થ : દેસતિર્યંચોના આપાતમાં એટલે કે મારક એવા વાંદરાદિ તિર્યંચોના આપાતવાળા સ્થાનમાં આહનન વગેરે દોષો લાગે. (આહનન એટલે બળદ-ગાય વગેરે શીંગડું મારી સાધુને પાડી નાંખે....વગેરે.) ભાગ- ૨T હUTI માં જે મરિ શબ્દ છે, એનાથી માંકડા વગેરે વડે કરાયેલ ભક્ષણાદિ દોષ સમજવો. (વાંદરા, કુતરા બચકુ ભરી I ૧૨૨ / ૫ માંસ ઉખાડી નાંખે એ ભક્ષણ દોષ કહેવાય.) જો નિંદિત કક્ષાના ગધેડી વગેરે તિર્યંચો આવતા હોય અને સાધુ ત્યાં જાય તો સાધુ ઉપર લોકોને મૈથુનની શંકા વગેરે થાય. (ગધેડી વગેરે તિર્યંચો સાથે પણ મનુષ્યો ચતુર્થવ્રતના પાપો કરતા હશે, એટલે જ આવા તિર્યંચોવાળા સ્થાનોમાં સાધુને 'જતો જોઈને લોકો વિચારે કે આ સાધુ પણ એવા પાપો તો નહિ કરતો હોય ને ?”) સંપIIકીfણ માં જે માદ્ર શબ્દ છે, " તેનાથી એમ સમજવું કે કોઈકને તો આ બાબતમાં નિશ્ચય જ થઈ જાય કે “સાધુ આવા પાપ કરવા માટે જ ત્યાં જાય છે.” " આમ આ તો બધા આપાતદોષો કહેવાયા. - આ જ રીતે મનુષ્ય સંબંધી સંલોકમાં પણ દોષો સમજી લેવા. અર્થાતુ જયાં દૂર રહેલાઓ સાધુને ચંડિલ વ્યુત્સર્જન કરતો * જોઈ શકે ત્યાં પણ આ દોષો જાણવા. પણ આમાં તિર્યંચોને છોડીને આ દોષો સમજવા. આશય એ છે કે તિર્યંચના સંલોકવાળા સ્થાનમાં કોઈ દોષ નથી, અર્થાત દૂર રહેલા તિર્યંચો અંડિલ કરતા સાધુને જોતા હોય તોય એમાં કોઈજ વાંધો નથી, મુશ્કેલી નથી. | ૧ ૨ ૨ |
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy