SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ '# # 5 શ્રી ઓથ જાગેલો તે આ પ્રમાણે વિચારે કે “આ કોઈ નપુંસક લાગે છે, માટે જ વિકારબુદ્ધિથી મને સ્પર્શે છે.” અને એટલે તે ગૃહસ્થ ચા નિર્યુક્તિ તે સાધુને નપુંસક સમજી (ભોગસુખ સેવન માટે) પકડે. (તે વખતે બધા પાસે દંડાસન ન હોવાથી બહાર નીકળતી વખતે Tી નીચે ઓવાથી પૂંજતા પૂંજતા અને હાથ વડે આગળની જગ્યા તપાસતા તપાસતા સાધુઓ નીકળતા.) (૯) હવે જો વસતિમાં કોઈ સ્ત્રી આવીને ઉંઘી હોય અને એ પેલા સાધુ વડે ભૂલથી સ્પર્શાય, તો તે શંકા કરે કે “આ મે મારી પાસે આવે છે.” અને પછી તે પોતાના પતિના સૌભાગ્યને પ્રસિદ્ધ કરતી કહે કે પછી પરમાર્થથી કહે. (સાધુથી બચવા | જ માટે એ બોલે કે હું મારા પતિને ખૂબ જ પ્રિય છું. એટલે મારામાં મારા પતિનું સૌભાગ્ય-પ્રિયત્ન છે. મને કંઈપણ કરશો, , તો એ તમને નહિ છોડે.... આ વાત હકીકત ન હોય તો પણ સાધુથી બચવા માટે આવું બોલે કે પછી ખરેખર એ હકીકત / Fનિ નિ .-૨૨૪ ધ હોય અને એ બોલે, અથવા પોતાના પતિના સૌભાગ્યને ખ્યાપિત કરતી એટલે કે “હું પરિણીત સ્ત્રી છું. મારા પતિ જીવતા જ 1 છે, મારુ સૌભાગ્ય અખંડ છે. એટલે મને કંઈ ન કરશો.” એમ કહેતી... હવે આ વાત ખોટી પણ હોય. તે સ્ત્રી અપરિણીત | કે વિધવા પણ હોય છતાં સાધુથી બચવા કહે, કે પછી એ વાત હકીકત પણ હોય અને એ કહે, અથવા સાધુનો સ્પર્શ થતા ! જ બાજુમાં ઉઘેલા પોતાના પતિને આ વાત કરે કે “સાધુ મને સ્પર્શે છે.” અને આ વાત પોતાનું સૌભાગ્ય દર્શાવતી કે પરમાર્થથી કહે, એટલે કે આમ કુલટા જેવી હોય છતાં પતિને કહે કે “હું પતિવ્રતા છું, તમારા સિવાય કોઈનો વિચાર પણ નથી કર્યો. આ પરપુરુષ અને સ્પર્શે, એ કેમ ચાલે ?” એમ પતિને ઉશ્કેરે. હવે જો આ ખરેખર હકીકત જ હોય, તે સ્ત્રી પતિવ્રતા જ હોય તો તો એની આ વાત પરમાર્થ જ ગણાય.) લh ૭૧૭ ( - E
SR No.600368
Book TitleOgh Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2007
Total Pages862
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy